ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશભાઈ વસાવા એ આખરે બીજેપી નો ખેસ ધારણ કર્યો
ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા પણ જાહેરમાં મીડિયા સમક્ષ અનેક વાર ઘટસ્ફોટ કરી ચુક્યા હતા, કે ચૈતરભાઈ વસાવા અને હરેશભાઇ વસાવા ભાજપમા જોડાવા માંગે છે.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લા કોંગ્રેસના હરેશભાઈ વસાવા ભાજપમાં જોડાવાના છે એવી અંદરખાને ચર્ચા ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી,ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા પણ જાહેરમાં મીડિયા સમક્ષ અનેક વાર ઘટસ્ફોટ કરી ચુક્યા છે, કે ડેડીયાપડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી હરેશભાઇ વસાવા ભાજપમા જોડાવા માંગે છે. પરંતુ કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર ન હતું.
ત્યારે ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ કોંગ્રેસના હરેશભાઈ વસાવા હવે ભાજપના હરેશભાઈ વસાવા બની ગયા છે તેમણે સુરત જઈને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં અને નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરી ના ચેરમેન અને નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની હાજરીમાં અને પોતાના પિતા જયંતીભાઈ વસાવાની સાથે તેમણે ભાજપ નો ખેસ ધારણ કરી લીધો છે અને મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો પણ તેઓની સાથે ભાજપમાં જોડાયા છે અને કોંગ્રેસમાંથી છેડો ફાડી નાખ્યો છે.
સાથે સાથે નર્મદા જિલ્લા કોંગ્રેસ યુવા પ્રમુખ અજય વસાવા અને મહામંત્રી મેહુલ પરમારે પણ પોતાના રાજીનામાં ગુજરાત કોંગ્રેસ ના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ને મોકલી આપ્યા હોવાનું જાણવા મળેલ છે.ત્યારે હાલમાં નર્મદા જિલ્લાના રાજકારણ માં ગરમાવો જણાઈ રહ્યો છે.હવે મનસુખભાઈ વસાવા ની કહેલી વાત મુજબ આમ આદમી પાર્ટી નાં ધારાસભ્ય ચૈતર વસાવા પણ બીજેપી માં જોડાઈ તે વાત ને નકારી નાં શકાય.
ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર ૧૪૭મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્યાઆરતીમાં સહભાગી થયા હતા. ભગવાન જગન્નાથજીના દર્શન કરીને મુખ્યમંત્રીશ્રીએ ધન્યતા અનુભવી હતી.
દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ :- ઉમરપાડામાં ૪.૯૬ ઇંચ, નવસારીમાં ૪.૫૬ ઇંચ અને કપરાડામાં ૪.૫૨ ઇંચ વરસાદ.
જિલ્લા કલેક્ટરએ નાંદોદ તાલુકાના જેસલપોર ગામની મુલાકાત લીધી હતી અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ગ્રામ્ય લેવલે ધરાતળ જમીની હકિકતમાં કાર્યાન્વિત થઇ છે કે કેમ અને થઇ છે તો કેવા પ્રકારની છે. તેની જાત માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન કર્યું હતું.