લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં આરોગ્ય પર્યાવરણ પર ભાર મૂકવામાં આવ્યો
રાજકીય ક્ષેત્રમાં આવતા માણસ ભણેલા ચોક્કસ હોવા જોઈએ બેટી બચાવો માટે આંદોલનનું માર્ગ અપનાવો પડે એ બાબત દેશ માટે ખરેખર શરમજનક ગણી શકાય તેવી છે દેશ માટે જાગૃત બનીશું તો જ ભારત દેશ મહાન બનશે : ગીરીબાપુ
સુપ્રસિદ્ધ શિવ કથાકાર ગીરીબાપુએ લુણાવાડા ખાતે ચાલી રહેલી શિવ કથાના આઠમા દિવસે ભંડારમાં ઉપસ્થિત રહેલી ભવ્ય માનવ વેદની શ્રોતાગણ ભક્તોને પોતાની કથા વાણીમાં જણાવ્યું હતું કે રાજકીય ક્ષેત્રમાં આવતા માણસ ભણેલા ચોક્કસ હોવા જોઈએ બેટી બચાવો માટે આંદોલનનું માર્ગ અપનાવો પડે એ બાબત દેશ માટે ખરેખર શરમજનક ગણી શકાય તેવી છે દેશ માટે જાગૃત બનીશું તો જ ભારત દેશ મહાન બનશે એવું તેમણે પોતાની મૃતવાણીમાં જણાવ્યું હતું સાથે સાથે પ્રજાને પણ જાગૃત થવાની તાતી જરૂરીયાત જણાઈ રહી છે તેમને જણાવ્યું હતું કે આધ્યાત્મિકતા નો અર્થ એ છે કે સારા નર્સાની સમજ, વ્યવહાર, આચરણ અને રેનીકરણી સારી હોવી જોઈએ નહીં કે સફેદ અને ભગવા વસ્ત્રો ધારણ કરીને બહાર નીકળી જવું.
પંચમહાલનો મોરલો કહેવાતા ભરતનાટ્યમના કલાકાર ઇન્ટરનેશનલ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ભરતભાઈ બારીયા, અને અક્ષય પટેલે પોતાનું પરફોર્મન્સ પંડાલમાં ઉપસ્થિત શિવ ભક્તોને અને શ્રોતાઓને શિવજીની પ્રસાદી સ્વરૂપે ખૂબ જ આહલાદક રીતે શિવમય બનીને પીરસ્યું હતું.
લુણાવાડા ખાતે છેલ્લા આઠ દિવસથી ચાલતી શિવકથાના મુખ્ય યજમાન રાકેશભાઈ પંડ્યા, દિપક કેસરી, ગોપાલભાઈ મહેતા, ચંદુભાઈ પટેલ, બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ ઠાકર તેમજ મહીસાગર જિલ્લાના કલેક્ટર ભાવિન પંડ્યા, દર્શનાબેન પંડ્યા, મહીસાગર ડીડીઓ સી.કે.પટેલ, અશોકભાઈ સોની તેમજ નવા વરાયેલા મહીસાગર જિલ્લાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને કથાનો ભરપૂર લાવો મળ્યો હતો તથાના અંતે ઉપસ્થિત જનમેદની અને શિવભક્તોએ પ્રસાદીનો લ્હાવો મેળવીને પોતાની જાતને ધન્ય માની હતી.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.