ઐતિહાસિક ટ્રેન જર્ની જાગૃત્તિ G20 સ્ટાર્ટઅપ 20 યાત્રા અમદાવાદ આવી
G20 દેશોમાંથી 70 સહિત 450 સહભાગીઓએ જાગૃતિ G20 સ્ટાર્ટઅપ 20 યાત્રામાં ભાગ લીધો,આ પહેલને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
અમદાવાદ : G20 સમિટનો સંદેશ ફેલાવવા અને વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જનભાગીદારી અને ઈન્ક્લુઝીવ ગ્રોથના વિઝનને અનુરૂપ ઉદ્યોગસાહસિકોની આગેવાની હેઠળની ઐતિહાસિક ટ્રેન યાત્રા આજે અમદાવાદ પહોંચી છે. ભારતભરમાં 8000 કિલોમીટરની આ યાત્રા 28 ઓક્ટોબરે મુંબઈથી શરૂ થઈ હતી અને 10મી નવેમ્બરે મુંબઈમાં પૂરી થશે. G20 દેશોમાંથી 70 સહિત કુલ 450 સહભાગીઓ આંત્રપ્રિન્યોરશિપ ટ્રેનની મુસાફરીમાં ભાગ લીધો છે.
વૈશ્વિક સ્તરે આંત્ર્પ્રિન્યોરશિપને પ્રોત્સાહન આપવા જી20, સ્ટાર્ટઅપ 20 અને જાગૃતિ સેવા સંસ્થાએ સાથે મળી આ 14 દિવસીય રેલ યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રા દ્વારા, સહભાગીઓ આંતરરાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના સંપર્કમાં આવશે, તેમજ ઈન્ક્લુઝીવ પ્રક્રિયાઓ અને ગ્લોબલ નેટવર્કિંગ વિશે માહિતી પ્રાપ્ત કરશે. દિલ્હીથી જાહેર કરવામાં આવેલી ઘોષણામાંથી અન્ય વિષયો સાથે ઈન્ક્લુઝીવ એન્ટરપ્રાઈઝ અને મહિલાઓના નેતૃત્વ હેઠળ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ પ્રવાસ લાઇફ (LIFE) દ્વારા સ્પેસ, ડિજિટલમાં ભારતની ક્ષમતાઓ અને ટકાઉ ગ્રોથ પર ફોકસ કરશે.
નવું આધાર ગવર્નન્સ પોર્ટલ જીવનને સરળ બનાવશે, સેવાઓને વધુ લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવશે અને નાગરિકો-કેન્દ્રિત સેવાઓની પહોંચમાં સુધારો કરશે.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.