ED ની ટીમ પર હુમલાને લઈને ગૃહ મંત્રાલય કડક બન્યું, રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ED ટીમ પર હુમલાને લઈને કડક વલણ અપનાવ્યું છે. મંત્રાલયે આ ઘટના અંગે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
કોલકાતા: ઉત્તર 24 પરગણા જિલ્લામાં દરોડા દરમિયાન ED ટીમ પર થયેલા હુમલાને લઈને હવે ગૃહ મંત્રાલય કડક બન્યું છે. મંત્રાલયે આ ઘટના અંગે પશ્ચિમ બંગાળની મમતા સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મમતા સરકાર પાસેથી 5 જાન્યુઆરીની ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે.
આ ઘટનાને લઈને રાજ્યમાં પાર્ટી અને વિપક્ષ બંને વચ્ચે હોબાળો ચાલી રહ્યો છે. રાજ્યના ઘણા મંત્રીઓએ આ ઘટનાને લોકોના ગુસ્સાનું પરિણામ ગણાવ્યું છે, જ્યારે વિપક્ષ ભાજપે તેને ટીએમસીની ગુંડાગીરી ગણાવી છે. તમને જણાવી દઈએ કે 5 જાન્યુઆરીએ રાજ્યની રાશન સિસ્ટમમાં કથિત અનિયમિતતાના સંબંધમાં ED ની ટીમ TMC નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા માટે સંદેશખાલી પહોંચી હતી. આ દરમિયાન શેખના સેંકડો સમર્થકોએ ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા.
હુમલા બાદ માહિતી આપતાં ED એ કહ્યું હતું કે ટીમની શોધખોળ દરમિયાન 800 થી 1000 લોકોએ એક પરિસરમાં ED ટીમ અને CRPF ના જવાનોને મારવાના ઇરાદે હુમલો કર્યો હતો. આ લોકો પાસે લાકડીઓ, પથ્થરો અને ઈંટો જેવા હથિયારો હતા. અને ટોળાએ ED અધિકારીઓના ફોન, લેપટોપ, રોકડ, પાકીટ વગેરે જેવી અંગત અને સત્તાવાર વસ્તુઓ પણ છીનવી લીધી હતી. તેમજ કેટલાક વાહનોને પણ ભારે નુકસાન થયું હતું.
ઉત્તર રેલ્વે લખનઉ ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ-લખનઉ-એશબાગ સેક્શનમાં બ્રિજ નં. 110 પર એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પિતા ડૉ. દેવેન્દ્ર પ્રધાનનું ૮૪ વર્ષની વયે અવસાન થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. દેવેન્દ્ર પ્રધાનને શ્રદ્ધાંજલિ આપી.
ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. અહીં તેઓ પીએમ મોદીને મળ્યા. આ ઉપરાંત, તેઓ રાયસીના ડાયલોગના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.