ગણેશ ચતુર્થી નિમિત્તે રાજપીપળા રત્ન ગણેશ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
રાજપીપળા શહેરમાં અનેક જગ્યાએ ગણેશ પ્રતિમાની સ્થાપના કરી યુવા મંડળો આ પર્વની શાનદાર ઉજવણી કરશે.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : ભાદરવા સુદ ચોથ નું ઘણું મહત્વ હોય છે ત્યારે આજે ગણેશ ચતુર્થી ના શુભ દિવસે રાજપીપળા દરબાર રોડ પર આવેલા 84 વર્ષ જૂના રત્ન ગણેશ મંદિરમાં ભગવાન ગણેશની વર્ષગાંઠ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભંડારો કરવામાં આવનાર છે આ મંદિર માં આજે સવારથી વિઘ્નહર્તા ગણેશજીનાં દર્શનાર્થે મોટી સંખ્યમાં ભક્તિ આવી રહ્યા છે ત્યારે મંદિરનાં પુંજારી મહેશભાઈ ઋષિએ ભગવાન ગણેશજી ને આજે તેમની વર્ષગાંઠ નિમિતે ખુબ સારી રીતે સજાવ્યા હતા અને પૂંજા પાઠ કરી સૌ ભક્તો ની મનોકામના માટે પ્રાર્થના કરી હતી.
આજથી ગણેશ ચતુર્થીનો પ્રારંભ થયો હોય રાજપીપળા શહેરમાં અનેક જગ્યાઓ પર દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી છે જેમાં અમુક ફળિયામાં દર વર્ષે અવનવા અને કઈક મેસેજ આપતા ગણપતિની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે તેમ આ વર્ષે પણ કઈક હટ કે કરવા વાળા આયોજકો અલગ કરશે હાલ પહેલા દિવસે મંડપનું ડેકોરેશન સહિતની તૈયારીઓમાં યુવાનો જોતરાઈ ગયા છે જોકે ઘણા દિવસોથી વરસાદ પણ પડી રહ્યો છે ત્યારે વરસતા મેઘરાજાની વચ્ચે પણ આયોજકએ કામગીરી ચાલુ રાખી છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.