આઇસીઆઇસીઆઇ બેંકે સુરતમાં નવી બ્રાન્ચ શરૂ કરી
આઇસીઆઇસીઆઇ બેંકે સુરતમાં લાલ દરવાજા ખાતે નવી બ્રાન્ચ શરૂ કરી છે. શહેરમાં બેંકની આ 52મી બ્રાન્ચ છે. શુભ સ્ક્વેર, પટેલ વાડી ખાતે આવેલી બ્રાન્ચમાં ગ્રાહકોને રોકડ જમા અને ઉપાડની સેવાઓ પ્રદાન કરવા માટે એટીએમ કમ કેશ રિસાયકલર મશીન (સીઆરએમ) છે. મશીન ચોવીસ કલાક ઉપલબ્ધ છે.
સુરતઃ આઇસીઆઇસીઆઇ બેંકે સુરતમાં લાલ દરવાજા ખાતે નવી બ્રાન્ચ શરૂ કરી છે. શહેરમાં બેંકની આ 52મી બ્રાન્ચ છે. શુભ સ્ક્વેર, પટેલ વાડી ખાતે આવેલી બ્રાન્ચમાં ગ્રાહકોને રોકડ જમા અને ઉપાડની સેવાઓ પ્રદાન કરવા માટે એટીએમ કમ કેશ રિસાયકલર મશીન (સીઆરએમ) છે. મશીન ચોવીસ કલાક ઉપલબ્ધ છે.
કિરણ હોસ્પિટલના અધ્યક્ષ પદ્મશ્રી મથુરભાઈ એમ. સવાણીએ બ્રાન્ચનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બ્રાન્ચ એકાઉન્ટ્સ, ડિપોઝિટ અને લોનની વિશાળ શ્રેણી ઓફર કરે છે, જેમાં સેવિંગ્સ અને કરન્ટ એકાઉન્ટ્સ, ફિક્સ્ડ અને રિકરિંગ ડિપોઝિટ, બિઝનેસ લોન, હોમ લોન, પર્સનલ લોન, ઓટો લોન, ગોલ્ડ લોન અને ફોરેક્સ સર્વિસિસ સહિત કાર્ડ સર્વિસિસ સામેલ છે. તે સોમવારથી શુક્રવાર તથા મહિનાના પ્રથમ, ત્રીજા અને પાંચમાં શનિવારે સવારે 9.30થી બપોરે 3.00 વાગ્યા સુધી કાર્યરત છે.
ગુજરાતમાં બેંક લગભગ 450 બ્રાન્ચ અને 800 એટીએમનું નેટવર્ક ધરાવે છે. આઇસીઆઇસીઆઇ બેંક બ્રાન્ચ, એટીએમ, કોલ સેન્ટર્સ, ઇન્ટરનેટ બેંકિંગ ( www.icicibank.com ) અને મોબાઇલ બેંકિંગના મલ્ટી-ચેનલ ડિલિવરી નેટવર્ક દ્વારા ગ્રાહકોના વિશાળ આધારને સેવાઓ પૂરી પાડે છે.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.