આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સે નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે મજબૂત કામગીરી નોંધાવી
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સનો નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળા માટે કરવેરા પછીનો નફા (ચોખ્ખો નફો) 32.7% વધીને રૂ. 2.07 અબજ રહ્યો છે જે સમગ્ર ત્રિમાસિક ગાળા માટે મજબૂત કામગીરી દર્શાવે છે. ધ વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ (વીએનબી), જે
ભાવિ નફાના વર્તમાન મૂલ્યને દર્શાવે છે, તે નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળા માટે 30.0%ના વીએનબી માર્જિન સાથે રૂ. 4.38 અબજ રહી હતી.
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સનો નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળા માટે કરવેરા પછીનો નફા (ચોખ્ખો નફો) 32.7% વધીને રૂ. 2.07 અબજ રહ્યો છે જે સમગ્ર ત્રિમાસિક ગાળા માટે મજબૂત કામગીરી દર્શાવે છે. ધ વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ (વીએનબી), જે
ભાવિ નફાના વર્તમાન મૂલ્યને દર્શાવે છે, તે નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળા માટે 30.0%ના વીએનબી માર્જિન સાથે રૂ. 4.38 અબજ રહી હતી.
જરૂરિયાત-આધારિત વેચાણ અભિગમ સાથે જોડાયેલી વ્યાપક પ્રોડક્ટ્સને પરિણામે નવા બિઝનેસ સમ એશ્યોર્ડમાં પરિણમ્યું છે, જે ગ્રાહકો દ્વારા પસંદ કરાયેલ જીવન કવરનું સૂચક છે, જે નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળા માટે 8.8% વધીને રૂ. 2,403.04 અબજ થયું છે. આ જ
સમયગાળા દરમિયાન રિટેલ પ્રોટેક્શન એન્યુઅલાઈઝ્ડ પ્રીમિયમ ઈક્વિવેલન્ટ (એપીઈ) એ વાર્ષિક ધોરણે 61.8%ના વધારા સાથે રૂ. 1.10 અબજની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે.
સારી રીતે વૈવિધ્યસભર વિતરણ નેટવર્કના લીધે કંપની વૃદ્ધિને આગળ વધારવા માટે ગ્રાહકોના વિશાળ વર્ગ સુધી પહોંચવામાં સક્ષમ બની છે. કોઈપણ એક વિતરક તરફથી મિનિમમ કોન્સન્ટ્રેશન રિસ્ક સાથે કંપનીની કુલ એપીઈ રૂ. 14.61 અબજ રહી હતી. તેવી જ રીતે, ડેટા એનાલિટિક્સ અને ડિજિટલાઇઝેશન કંપનીને વધુ સારી ગ્રાહક આંતરદ્રષ્ટિ મેળવવા માટે સક્ષમ બનાવે છે. આનાથી ઇચ્છિત પરિણામો મળ્યા છે અને તમામ જૂથોમાં દ્રઢતા સુધરી છે. નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળા માટે 13મા મહિનાનો પર્સિસ્ટન્સી રેશિયો સુધરીને 86.4% થયો હતો.
કંપનીના મજબૂત રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્કે તેને શરૂઆતથી જ ઝીરો નોન-પર્ફોર્મિંગ એસેટ્સનો રેકોર્ડ રાખવા સક્ષમ બનાવી છે. ઉપરાંત, એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) 30 જૂન, 2023ના રોજ વાર્ષિક ધોરણે 15.8% વધીને રૂ. 2,664.20 બિલિયન થઈ છે. આ ગ્રાહકોને તેમના લાંબા ગાળાની નાણાંકીય લક્ષ્યાંકોની પ્રાપ્તિ માટે સક્ષમ બનાવવા માટે કંપનીમાં તેમનો વિશ્વાસ મૂકે છે તેનો પુરાવો છે.
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સના એમડી અને સીઈઓ શ્રી અનુપ બાગચીએ જણાવ્યું હતું કે, “અમારા અસ્તિત્વનો ઉદ્દેશ્ય અમારા ગ્રાહકો અને તેમના પરિવારોને નાણાંકીય સુરક્ષા પૂરી પાડવાનો છે. અમે માનીએ છીએ કે અમે અમારા ગ્રાહકો દ્વારા તેમના રક્ષણ, નિવૃત્તિ,
આરોગ્ય અને લાંબા ગાળાના બચત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે અમને સોંપવામાં આવેલી જીવન બચતના ટ્રસ્ટી છીએ.
નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં, વીએનબી 30%ના માર્જિન સાથે રૂ. 4.38 અબજ હતી જ્યારે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 33% વધીને રૂ. 2.07 અબજ થયો હતો. મૂળમાં ગ્રાહક-કેન્દ્રિતતા સાથે, અમે 4P વ્યૂહરચના દ્વારા, પ્રીમિયમ વૃદ્ધિ, સંરક્ષણ ફોકસ, દ્રઢતા સુધારણા
અને ઉત્પાદકતામાં વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખીશું.
નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળા દ્વારા અમે જૂન 2023ના મહિના માટે એપીઈમાં બે આંકડાની વૃદ્ધિ સાથે, વ્યવસાયમાં સુધારાનો ટ્રેન્ડ જોયો છે. પ્રોટેક્શન બિઝનેસના વિસ્તરણ તરફના અમારા પ્રયાસો રિટેલ પ્રોટેક્શન સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 62% વૃદ્ધિમાં જોવા મળે છે અને
આનાથી એકંદરે પ્રોટેક્શન બિઝનેસ કુલ એપીઈના લગભગ ચોથા ભાગનું યોગદાન આપે છે.
વધુમાં, અમારા સારી રીતે વૈવિધ્યસભર વિતરણ નેટવર્કે સુનિશ્ચિત કર્યું છે કે અમને કોઈપણ એક વિતરક તરફથી મિનિમલ કન્સન્ટ્રેશન રિસ્ક છે. સમૂહમાં અમારી પર્સિસ્ટન્સીમાં વધુ સુધારો થયો છે અને 13મા મહિનાની 86.4%ની પર્સિસ્ટન્સી સાથે તે અમારી જરૂરિયાત-આધારિત વેચાણ
અભિગમને પ્રતિબિંબિત કરે છે.
વ્યૂહાત્મક ઘટકોમાં અમારા પ્રદર્શનને બહેતર બનાવવા માટે, અમે જોખમ-માપાંકિત રીતે ગુણવત્તાયુક્ત વ્યવસાય વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, ડેટા એનાલિટિક્સ, ડાઇવર્સિફાઇડ પ્રપોઝિશન્સ, ડિજિટલાઇઝેશન અને ડેપ્થ ઈન પાર્ટનરશિપને સમાવતું 4D ફ્રેમવર્ક તૈયાર કર્યું છે.
આ ફ્રેમવર્ક સુનિશ્ચિત કરશે કે પ્રોડક્ટ્સ ગ્રાહકની જરૂરિયાતો સાથે સંરેખિત છે, તે જરૂરિયાતોને અસરકારક રીતે પૂરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, ઉચ્ચ ગુણવત્તાના ધોરણો સાથે વિકસાવવામાં આવી છે, અને સૌથી યોગ્ય ચેનલો દ્વારા વિતરિત કરવામાં આવે છે. ઉપરાંત, આ માળખું અમારા ગ્રાહકોને સમગ્ર પ્રોડક્ટ લાઈફ સાઈકલમાં સરળ અને મુશ્કેલી-મુક્ત પ્રક્રિયાઓ પ્રદાન કરવામાં મદદ કરશે.”
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.