તેલંગણામાં જો અમારી સરકાર બનસે તો અમે મુસ્લિમ આરક્ષણને ખતમ કરીશું: અમિત શાહ
અમિત શાહે કહ્યું કે તમે બધા કમળને મત આપો, તો મહાલક્ષ્મી કમળ પર બેસીને તેલંગાણામાં ઉતરશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેલંગાણામાં મુસ્લિમોને શિક્ષણ અને રોજગાર અને ડબલ બેડરૂમ ઘર જેવી કલ્યાણકારી યોજનાઓમાં આપવામાં આવેલી અનામતને ગેરબંધારણીય ગણાવી હતી. અમિત શાહે કહ્યું કે, “જો તેલંગાણામાં અમારી સરકાર બનશે તો અમે મુસ્લિમ આરક્ષણ ખતમ કરીશું, આ આરક્ષણ તેલંગાણાના SC/ST/OBC માટે છે. તેમને તે અધિકાર મળશે.
અમિત શાહે રવિવારે રંગારેડ્ડી જિલ્લાના ચેવેલ્લા ખાતે 'વિજય સંકલ્પ સભા'ને સંબોધતા શાહે કહ્યું હતું કે, "રાજ્યની ભાજપ સરકાર આગામી વિધાનસભા ચૂંટણીમાં સત્તા પર આવશે તો આવા તમામ ગેરબંધારણીય આરક્ષણોને રદ કરશે." તેમણે લોકોને રાજ્યમાં ભ્રષ્ટ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) શાસનને જડમૂળથી ઉખેડવા માટે ભાજપને સમર્થન આપવાની અપીલ કરી હતી. અમિત શાહે કહ્યું કે તમે બધા કમળને મત આપો, તો મહાલક્ષ્મી (વૈભવ લક્ષ્મી) કમળ પર બેસીને તેલંગાણામાં ઉતરશે.
ગૃહમંત્રીએ સત્તાધારી બીઆરએસ સરકારની ટીકા કરતાં અનેક પ્રોજેક્ટ્સમાં ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો અને કહ્યું કે જ્યાં સુધી "ભ્રષ્ટ" શાસનને "ઉત્થાન" ન કરવામાં આવે ત્યાં સુધી ભાજપની લડાઈ અટકશે નહીં. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેલંગાણા માટે કેન્દ્ર દ્વારા વિસ્તૃત કલ્યાણનાં પગલાં ગરીબો સુધી પહોંચી રહ્યાં નથી. અમિત શાહે કે ચંદ્રશેખર રાવ સરકાર પર રાજ્યમાં અસદુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળના AIMIM "એજન્ડા"નો અમલ કરવાનો આરોપ લગાવ્યો હતો. શાહે કહ્યું, "તેલંગાણામાં એવી કોઈ સરકાર ચાલી શકે નહીં જેનું સ્ટિયરિંગ ઓવૈસી પાસે હોય. અમે મજલિસથી ડરતા નથી. તેલંગાણાની સરકાર રાજ્યના લોકો માટે ચાલશે, તે ઓવૈસી માટે નહીં ચાલે."
પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ પોતાનું રેવેન્યુ વધારવા માટે સર્વોત્તમ સંભવિત પ્રયત્નો કરી રહ્યું છે અને તેની ગતિને જાળવી રાખી છે. મંડળ રેલવે મેનેજર સુધીર કુમાર શર્માના કુશળ નેતૃત્વમાં અમદાવાદ મંડળે જૂન 2024 માં 720.52 કરોડ રૂપિયાના કુલ રેવેન્યુના આંકડાને પસાર કર્યું.
નાણામંત્રીએ બિહારને વિશેષ દરજ્જો આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NDC) દ્વારા ભૂતકાળમાં કેટલાક રાજ્યોને આયોજન સહાય માટે વિશેષ શ્રેણીનો દરજ્જો આપવામાં આવ્યો હતો, જેમાં ઘણી વિશેષતાઓ હતી જેને ખાસ ધ્યાનમાં લેવાની જરૂર હતી.
રાજ્યસભામાં સીપીઆઈ(એમ) સાંસદ વી શિવદાસને કહ્યું છે કે તેમને ફોન પર સંસદ અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સાંસદે ઉપરાષ્ટ્રપતિને પત્ર લખીને કાર્યવાહી કરવાની અપીલ કરી છે.