સાગબારાનાં ધવલીવેર ગામે વડીલો પાર્જીત જમીનની તકરાર માં દાતરડા,પરાણા વડે હુમલો
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં ધવલીવેર ગામે વડીલો પાર્જીત જમીન બાબતે તકરાર થતા સામા પક્ષે ચાર લોકો એ દાતરડા, પરાણા વડે હુમલો કરી ઇજા કરતા ગુનો દાખલ થયો છે.
રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં ધવલીવેર ગામે વડીલો પાર્જીત જમીન બાબતે તકરાર થતા સામા પક્ષે ચાર લોકો એ દાતરડા, પરાણા વડે હુમલો કરી ઇજા કરતા ગુનો દાખલ થયો છે.
મળતી માહિતી અનુસાર કૃષ્ણભાઈ મોનુભાઈ વસાવા, રહે,ધવીવેર, બસ સ્ટેશન ફળીયુ,નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ તથા (૧) માનસીંગભાઇ ફત્તુભાઇ વસાવા તથા (૨) ગોવિંદભાઇ કૃતુભાઇ વસાવા તથા (૩) રવિન્દ્રભાઇ ઉર્ફે મુન્નો ફત્તુભાઇ વસાવા તથા (૪) વિશ્વાસભાઇ લક્ષ્મણભાઇ વસાવા તમામ રહે. ધવલીવેરનાઓ એક જ કુટુંબના હોઇ,તેઓ વચ્ચે વડીલો પાર્જીત વહેંચવામાં આવેલ જમીન બાબતે તકરાર હોઇ અને કોર્ટમા પણ જમીનના ભાગ વહેંચણી બાબત કેસ ચાલુ છે હોઇ જેમાં કૃષ્ણભાઈ અન્ય માણસો સાથે ટ્રેક્ટર વડે ખેતરમા ખેડાણ કરાવતા હતા તે વખતે આ ચારેય લોકો એ પરાણા અને દાંતરડા લઇ ને ત્યા આવી કહેલ કે, આ જમીનમા અમારો પણ ભાગ લાગે છે જેથી તમારે આ ખેતરમા ખેતી કરવા આવવુ નહી, અને આ જમીનમા ખેડાણ કરવાનુ બંધ કરી ખેતરમાંથી જતા રહો તેવુ કહેતા કૃષ્ણભાઇ એ જણાવેલ કે,“આ જમીન મારા પિતાના ભાગમાં આવેલ છે અને વર્ષોથી હું તથા મારા છોકરાઓ ખેતી કરતા આવેલ છે. તો આજે કેમ કહેવા માટે આવેલ છો ?" તેમ કહેતા ચારેય ઉશ્કેરાઇ દાંતરડા અને પરાણા વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પોલીસે ચારેય વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
જેમ જેમ નવરાત્રિનો વાઇબ્રન્ટ તહેવાર નજીક આવી રહ્યો છે તેમ, અમદાવાદમાં ખૂબ જ અપેક્ષિત ગરબાની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે
પરંપરાગત જામખંભાળિયા ઘીના બદલે અમૂલ ઘીનો ઉપયોગ થતો હોવાના આક્ષેપોને પગલે ડાકોર મંદિરમાં પ્રસાદની ગુણવત્તા અંગેનો વિવાદે ધ્યાન ખેંચ્યું છે.
અમદાવાદમાં, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ વધુને વધુ સ્કૂટર અને 125 સીસી સ્પોર્ટ બાઈકની સવારી કરીને શાળાએ જતા હોવાના કારણે એક સંબંધિત વલણ ઉભરી આવ્યું છે,