સાગબારાનાં ધવલીવેર ગામે વડીલો પાર્જીત જમીનની તકરાર માં દાતરડા,પરાણા વડે હુમલો
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં ધવલીવેર ગામે વડીલો પાર્જીત જમીન બાબતે તકરાર થતા સામા પક્ષે ચાર લોકો એ દાતરડા, પરાણા વડે હુમલો કરી ઇજા કરતા ગુનો દાખલ થયો છે.
રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં ધવલીવેર ગામે વડીલો પાર્જીત જમીન બાબતે તકરાર થતા સામા પક્ષે ચાર લોકો એ દાતરડા, પરાણા વડે હુમલો કરી ઇજા કરતા ગુનો દાખલ થયો છે.
મળતી માહિતી અનુસાર કૃષ્ણભાઈ મોનુભાઈ વસાવા, રહે,ધવીવેર, બસ સ્ટેશન ફળીયુ,નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ તથા (૧) માનસીંગભાઇ ફત્તુભાઇ વસાવા તથા (૨) ગોવિંદભાઇ કૃતુભાઇ વસાવા તથા (૩) રવિન્દ્રભાઇ ઉર્ફે મુન્નો ફત્તુભાઇ વસાવા તથા (૪) વિશ્વાસભાઇ લક્ષ્મણભાઇ વસાવા તમામ રહે. ધવલીવેરનાઓ એક જ કુટુંબના હોઇ,તેઓ વચ્ચે વડીલો પાર્જીત વહેંચવામાં આવેલ જમીન બાબતે તકરાર હોઇ અને કોર્ટમા પણ જમીનના ભાગ વહેંચણી બાબત કેસ ચાલુ છે હોઇ જેમાં કૃષ્ણભાઈ અન્ય માણસો સાથે ટ્રેક્ટર વડે ખેતરમા ખેડાણ કરાવતા હતા તે વખતે આ ચારેય લોકો એ પરાણા અને દાંતરડા લઇ ને ત્યા આવી કહેલ કે, આ જમીનમા અમારો પણ ભાગ લાગે છે જેથી તમારે આ ખેતરમા ખેતી કરવા આવવુ નહી, અને આ જમીનમા ખેડાણ કરવાનુ બંધ કરી ખેતરમાંથી જતા રહો તેવુ કહેતા કૃષ્ણભાઇ એ જણાવેલ કે,“આ જમીન મારા પિતાના ભાગમાં આવેલ છે અને વર્ષોથી હું તથા મારા છોકરાઓ ખેતી કરતા આવેલ છે. તો આજે કેમ કહેવા માટે આવેલ છો ?" તેમ કહેતા ચારેય ઉશ્કેરાઇ દાંતરડા અને પરાણા વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પોલીસે ચારેય વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ તથા અન્ય નિગમોની યોજનાના ૩.૯૯ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૫૦૦ કરોડથી વધુના લાભોનું વિતરણ કરાશે.
અમદાવાદ જિલ્લાના ધોલેરા SIRની વિકાસ કામગીરી અંગે પ્રત્યુત્તર આપતાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ ધોલેરા SIR ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીની રચનાની કામગીરી પ્રગતિમાં છે. અહીં અત્યાર સુધીમાં વિવિધ સેક્ટરમાં કુલ રૂ. ૩૫,૯૮૪.૫૮ કરોડનું રોકાણ પણ મળ્યું છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ