લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં ગીરીબાપુ બોલ્યા મુર્દો કો જલાયા જાતા હૈ ઉસે સ્મશાન કહેતે હૈ કૈલાશ નહીં* સ્મશાનમાં કૈલાશ શબ્દ ના લખવો જોઈએ
કોઠંબા તાલુકામાં સુપ્રસિદ્ધ શિવ કથાકાર ગીરીબાપુએ લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં પાંચમા દિવસે ઉપસ્થિત શ્રોતાગણ ભક્તોને પોતાની કથાવાણીમાં જણાવ્યું હતું કે જ્યાં શિવાલય છે ત્યાં શાંતિ છે. શિવાલયની આજુબાજુની ભૂમિ છે તે તીર્થ છે તેની આજુબાજુમાં રહેતો અજાણ્યો મનુષ્ય પોતાનો જીવ છોડે ચાહે તે પાપી હોય તો પણ તે શિવલોકનો અધિકારી છે અને તે શિવગતિને પામે છે.
કોઠંબા તા સુપ્રસિદ્ધ શિવ કથાકાર ગીરીબાપુ એ લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં પાંચમા દિવસે ઉપસ્થિત શ્રોતાગણ ભક્તોને પોતાની કથાવાણીમાં જણાવ્યું હતું કે જ્યાં શિવાલય છે ત્યાં શાંતિ છે. શિવાલયની આજુબાજુની ભૂમિ છે તે તીર્થ છે તેની આજુબાજુમાં રહેતો અજાણ્યો મનુષ્ય પોતાનો જીવ છોડે ચાહે તે પાપી હોય તો પણ તે શિવલોકનો અધિકારી છે અને તે શિવગતિને પામે છે.
સવારમાં વહેલા ઊઠીને મહાદેવને જરૂરિયાત કરવા જોઈએ શિવ પૂજા નિત્ય કરો ગમે તેટલી નદીઓ સમુદ્રને મળે પરંતુ સમુદ્ર એ સમુદ્ર જ છે માટે શિવજીનું પૂજન કરો શિવજીની યાદ કરો .જ્યાં બીલીપત્ર વૃક્ષ છે તે સ્થાનની પ્રગતિ થાય છે વધુમાં જણાવ્યું હતું કે સ્મશાનમાં કૈલાશ શબ્દ ના લખવો જોઈએ સ્મશાન એ સ્મશાન જ છે. કૈલાશ અવિનાશી છે.મનુષ્યનો અંતિમ સંસ્કાર થાય તેને કૈલાશ ના કહેવાય. કૈલાશ તો એ છે જેનાથી સ્વર્ગની રચના થાય છે.
ઘર, શિવાલય કે રાજમહેલ પર કૈલાશ લખવું જોઈએ સ્મશાનમાં કૈલાશ શબ્દ ના લખવો જોઈએ. સંતોની કથા સાંભળવાનું ફળ મળે કે ના મળે પરંતુ કથા સાંભળવાથી જીવન ક્યારેય નિષ્ફળ જતું નથી. બિલીપત્રની નીચે કે તુલસીની નીચે પાર્થિશ્વર શિવલિંગ બનાવી તેની પર જળ ચઢાવવું જોઈએ. આપણા દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત નથી તે આપણું દુર્ભાગ્ય છે. દક્ષિણમાં આજે પણ ઘણા ગામોમાં સંસ્કૃત ભાષા બોલાય છે.વિશ્વમાં જે તે ધર્મગ્રંથ તેમની ભાષામાં છે અને તે ભાષા જ બોલાય છે પરંતુ આપણા ભારતમાં ધર્મગ્રંથોની સંસ્કૃત ભાષા આપણી રાષ્ટ્રભાષા નથી જે દુર્ભાગ્ય છે.
લુણાવાડા ધારાસભ્ય કોંગ્રેસના છે પરંતુ ભાજપ હોય કે કોંગ્રેસ હોય પરંતુ તે જરૂરથી હિન્દુસ્તાની હોવો જોઈએ ભારતીય હોવો જોઈએ. પક્ષ ગમે તે હોય પરંતુ ભારતની નાગરિકતા નો આદર હોવો જોઈએ. આવનાર સમયમાં આપણા દેશની ભાષા સંસ્કૃત બને તેવી પ્રાર્થના કરી હતી.હું કોઈ પક્ષનો માણસ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સનાતન સંસ્કૃતિ નો આદર કરું છું. ધન,સામર્થ,સમજણ હોય તો જ કથા કરાવી શકાય.તેવું જણાવતા તેમણે લુણાવાડા ખાતે ચાલતી કથામાં પંડ્યા પરિવાર,કેસરી પરિવાર, મહેતા પરિવાર અને પટેલ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી