નવાપરા ગામમાં આગની ઘટના માં ધારાસભ્ય ડો.દેશમુખે સ્થળ પર પહોંચી જરૂરી મદદ માટે કાર્યવાહી કરી
ગરુડેશ્વર તાલુકાના નવાપરા ખાતે આકસ્મિક આગ લાગતા 12 જેટલા ઘરો બળીને ભસ્મીભૂત થયા હતા.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : તા.૫/૦૯/૨૦૨૩ ગરુડેશ્વર તાલુકાના નવાપરા ખાતે આકસ્મિક આગ લાગતા 12 જેટલા ઘરો બળીને ભસ્મીભૂત થયા હતા. ઘટના બાબતે ગામના સરપંચ રવિદાસભાઈએ નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખને ટેલીફોનિક જાણ કરતા ધારાસભ્ય દ્વારા તાત્કાલિક કેવડિયા રાકેશ ચૌધરી તેમજ રાજપીપલા નગરપાલિકાનો સંપર્ક કરી બે બંબાની વ્યવસ્થા કરી હતી
ત્યારબાદ ઘટના સ્થળે તેઓ પોતે પણ બંબાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ને લઈ પહોંચ્યા હતા જેમાં વહીવટી તંત્ર સાથે દિનેશભાઈ તડવી (વાડી) પદમબાબુ રાજુભાઈ ભીલ તેમજ અન્ય કાર્યકર્તાઓ આગ ઓલવવાના કામે લાગી ગયા હતા ધારાસભ્ય દ્વારા જેમનું નુકસાન થયું છે તે તમામને વહેલી તકે સહાય મળે તે માટે ટીડીઓ ને સૂચના આપી હતી મકાન બનાવવા માટે જરૂરિયાત મુજબના લાકડા મળી રહે તે માટે જંગલ ખાતાના અધિકારીઓને સૂચના આપી હતી તેમજ આ તમામ લોકોને ગામના સરપંચ સાથે મળી શાળામાં નિવાસની વ્યવસ્થા તેમજ તેમના ભોજન ની વ્યવસ્થાની પણ સ્થળ પર રહી ચિંતા કરી હતી તેમની સાથે જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ તડવી, તાલુકા મહામંત્રી ભૂપેન્દ્રસિંહ ગોહિલ,યુવામોર્ચા અધ્યક્ષ અજયભાઈ તડવી વગેરે કાર્યકર્તા ઓ પણ સેવાકાર્યમાં જોડાયા.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી