ભોપાલમાં આવકવેરા વિભાગના દરોડાઃ જંગલમાં પાર્ક કરેલી કારમાંથી 52 કિલો સોનું, 15 કરોડ રૂપિયા મળી આવ્યા.
આવકવેરા વિભાગની સાથે 100 પોલીસકર્મીઓની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન જંગલમાં પાર્ક કરેલી કારમાંથી 52 કિલો સોનું અને 15 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. મધ્યપ્રદેશમાં આવકવેરા વિભાગ બે દિવસથી દરોડા પાડી રહ્યું છે.
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ઈન્કમ ટેક્સ વિભાગના દરોડામાં 52 કિલો સોનું અને 15 કરોડ રૂપિયાનો જથ્થો ઝડપાયો છે. ભોપાલ નજીક મેંદોરીના જંગલોમાં પાર્ક કરેલી કારમાંથી સોનું અને રોકડ જપ્ત કરવામાં આવી છે. આવકવેરા વિભાગ સાથે મળીને 100 પોલીસકર્મીઓની ટીમે દરોડા પાડીને મોટી માત્રામાં કાળું નાણું જપ્ત કર્યું હતું. જે કારમાંથી સોનું અને પૈસા મળી આવ્યા હતા તે જંગલમાં પાર્ક કરેલી કારની નંબર પ્લેટ પર RTO ટેગ હતું.
મધ્યપ્રદેશમાં બે દિવસથી લોકાયુક્ત અને આવકવેરાના દરોડા ચાલુ છે. આવકવેરા વિભાગે 52 કિલો સોનું અને 15 કરોડ રૂપિયા પણ રિકવર કર્યા છે. બે દિવસ પહેલા આવકવેરા વિભાગે ભોપાલ અને ઈન્દોરમાં એક કન્સ્ટ્રક્શન કંપનીના 51 સ્થળો પર દરોડા પાડ્યા હતા. સફેદ રંગની ટોયોટા કારમાંથી સોનું અને રોકડ મળી આવી છે. આ કાર ગ્વાલિયરની છે અને તેને 2020માં ખરીદી હતી.
લોકાયુકત પોલીસે ગુરુવારે મધ્યપ્રદેશ પરિવહન વિભાગના ભૂતપૂર્વ કોન્સ્ટેબલના ઘરેથી રૂ. 2.85 કરોડની રોકડ સહિત રૂ. 3 કરોડથી વધુની સંપત્તિ રિકવર કરી છે. નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) વીરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે અહીંની પોશ અરેરા કોલોનીમાં પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્માની બે મિલકતો પર સવારે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં રોકડ ઉપરાંત 50 લાખની કિંમતનું સોનું અને કેટલીક ચાંદી પણ જપ્ત કરવામાં આવી હતી. ડીએસપીએ કહ્યું હતું કે મિલકતો સાથે સંબંધિત દસ્તાવેજો પણ મળી આવ્યા છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, સૌરભ શર્માનો પત્તો લાગ્યો ન હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર શર્માએ લગભગ એક વર્ષ પહેલા સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ પછી જંગલમાં એક કારમાંથી આટલી મોટી રકમ મળી આવી હતી અને કારમાં RTO પ્લેટ હતી. આવી સ્થિતિમાં જો સૌરભ શર્માની ધરપકડ થાય તો મોટા ખુલાસા થઈ શકે છે.
"મુંબઈમાં ૯૦ વર્ષ જૂના જૈન મંદિરના ધ્વંસથી જૈન સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો. BMC ની કાર્યવાહી અને ધાર્મિક સંવેદનશીલતાનો મુદ્દો જાણો."
મધ્ય પ્રદેશની BJP MLA ઉષા ઠાકુરે લોકતંત્રને વેચનારા લોકોને ઊંટ, ઘેટા-બકરાં, કુતરા અને બિલાડાના રૂપમાં પુનર્જન્મ લેતા કહ્યા છે. આ નિવેદન વિવાદનું કેન્દ્ર બન્યું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની 800 કરોડની સંપત્તિ પર સીલ લગાવવામાં આવી છે. મની લોન્ડરિંગ કેસમાં આ મોટી કાર્યવાહી જાણો.