સિવાના સેવા સમિતિ અમદાવાદ દ્વારા સ્વતંત્રતા દિવસ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શહેરની સિવાના સેવા સમિતિ દ્વારા જહાંગીરપુરા સ્કૂલ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌએ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી.
અમદાવાદઃ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શહેરની સિવાના સેવા સમિતિ દ્વારા જહાંગીરપુરા સ્કૂલ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌએ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી.
સંસ્થાના સેક્રેટરી મુકેશ આર.ચોપડા એ જણાવ્યું હતું કે સંસ્થાના આચાર્ય સંગીતા બહેને તમામ મુલાકાતીઓને આવકાર્યા હતા અને ફૂલહારથી સન્માનિત કરાયા હતા.
જે બાદ શાળાના આચાર્ય સંગીતા બેન સહિત સંસ્થાના પ્રમુખ અમિત બાળડ, સેક્રેટરી મુકેશ ચોપડા, ખજાનચી રણજીત કાનુંગા, સ્થાપક પ્રમુખ મહાવીર ચૌધરી, પૂર્વ પ્રમુખ અશોક ભણસાલી, ઉપપ્રમુખ જિતેન્દ્ર મહેતા, મનીષ મહેતા, કાર્યક્રમ સંયોજક મહાવીર બાગરેચા, સહ સચિવ કીર્તિ બાગરેચા, બોર્ડના સભ્ય રાકેશ છાજેડ, કમલેશ શ્રીશ્રીમાલ, મુકેશ કાનુંગા, રાજેશ મહેતા વગેરે ઉપસ્થિત સભ્યોએ ધ્વજ ફરકાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન નન્હા મુન્ના રાહી હુ...., વંદે માતરમ...., મા તુઝે સલામ.... વગેરે પ્રસ્તુતિઓએ વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું. કાર્યક્રમના અંતે સિવાના સેવા સમિતિ દ્વારા તમામ વિદ્યાર્થીઓને નોટબુક, પેન અને મીઠાઈઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.