શ્રી સવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત "ધ રીયલ હીરોઝ" એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
શ્રી સવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત "ધ રીયલ હીરોઝ" એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ સમારોહમાં સમાજ માટે ઉદાહરણરૂપ કામગીરી કરનારી ૧૫ જેટલી સંસ્થાઓને 'રિયલ હીરોઝ'ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતા.
અમદાવાદમાં શ્રી સવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત "ધ રીયલ હીરોઝ" એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ સમારોહમાં સમાજ માટે ઉદાહરણરૂપ કામગીરી કરનારી ૧૫ જેટલી સંસ્થાઓને 'રિયલ હીરોઝ'ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતા.
આ એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમાજ જીવનમાં વિવિધ ક્ષેત્રમાં સેવા પ્રદાન કરનાર 'રીયલ હીરોઝ'ને અભિનંદન પાઠવતા કહ્યું કે, કર્મ આપણી સંસ્કૃતિ છે. આપણે સૌ કર્મ પર વધારે માનીએ છીએ. કર્મ જ્યારે આપણે સારા કર્મ કરીએ છીએ, ત્યારે તેનું ફળ અવશ્ય સારું જ મળે છે. જ્યારે આપણને કર્મનું ફળ મળી જાય છે ત્યાંથી જ એક નવા કર્મની શરૂઆત પણ થઈ જાય છે એટલે સૌ કોઈએ સારા કર્મો સતત કરતા રહેવું જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે, આપણી સમક્ષ એવા ઘણા ઉદાહરણો પણ છે કે, જેમની પાસે કંઈ જ નથી એ વ્યક્તિ પણ આજે નાનામાં નાના વ્યક્તિનો વિચાર કરે છે અને સારું કર્મ કરે છે અને આજ આપણી પણ સંસ્કૃતિ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના સેવા કાર્યોની વાત કરતા મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક-એક પળ અને એક - એક મિનિટ પ્રજાજનોની સેવા માટે તત્પર છે. શ્રી નરેન્દ્રભાઈ હંમેશાથી કહેતા આવ્યા છે કે , હું ભારત દેશ માટે ૨૪ કલાક એટલે કે એક-એક પળ દેશના વિકાસ માટે કામ કરવામાં તત્પર છું. શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની આ સેવાને કારણે જ આજે દેશના તમામ ક્ષેત્રમાં વિકાસ થયો છે.
આ એવોર્ડ કાર્યક્રમ અંગે શ્રી સવા ફાઉન્ડેશનના સ્થાપક સુશ્રી અમી મોદીએ કહ્યું કે, પ્રથમ વખત આ પ્રકારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમને એવોર્ડ આપવામાં આવ્યો છે એ તમામ લોકો સમાજના રીયલ હીરો છે અને તેમને તેમના જ કાર્યો માટે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની કામગીરીનું વળતર એ એવોર્ડ નથી પરંતુ આ તમામ લોકો પડદા પાછળ રહીને લોકોની સેવા માટે અવિરતપણે કામ કરી રહ્યાં છે તેમને બિરદાવવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૧૫ ફાઉન્ડેશનને ૫૦,૦૦૦નો ચેક આપવામાં આવ્યો હતો.
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.