સટ્ટાબાજી અને ઓનલાઈન જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ સંબંધિત જાહેરાતો અંગે જારી કરવામાં આવેલ સૂચનાઓ
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ સટ્ટાબાજી અને ઓનલાઈન જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંબંધિત જાહેરાતો અંગે સૂચનાઓ જારી કરી છે.
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ સટ્ટાબાજી અને ઓનલાઈન જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંબંધિત જાહેરાતો અંગે સૂચનાઓ જારી કરી છે. આવી પ્રવૃતિઓની વધતી જાહેરાતો અંગે ઓથોરિટીએ કહ્યું છે કે પબ્લિક ગેમ્બલિંગ એક્ટ 1867 હેઠળ તેના પર પ્રતિબંધ છે. તેમ છતાં તેમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે ગ્રાહકો ખાસ કરીને યુવાનો પર આર્થિક બોજ પડી રહ્યો છે.
ઓથોરિટીએ ચેતવણી આપી હતી કે કાયદાકીય રીતે પ્રતિબંધિત પ્રવૃત્તિઓની જાહેરાતો પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. આ કાયદાનું ઉલ્લંઘન કરનારા જાહેરાતકર્તાઓ, નિર્માતાઓ, પ્રકાશકો અને સંબંધિત લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઓથોરિટીએ સેલિબ્રિટીઝ અને સામાજિક પ્રભાવકોને પણ આવી પ્રવૃત્તિઓની જાહેરાત કરવાથી દૂર રહેવા જણાવ્યું છે.
રાજ્યસભામાં રેલવે વિશે ઘણી માહિતી આપતી વખતે, અશ્વિની વૈષ્ણવે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. રેલ્વે મંત્રીએ કહ્યું કે વિપક્ષી નેતાઓએ રેલ્વે અંગે ભ્રામક નિવેદનો ન આપવા જોઈએ.
ઉત્તર રેલ્વે લખનઉ ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ-લખનઉ-એશબાગ સેક્શનમાં બ્રિજ નં. 110 પર એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પિતા ડૉ. દેવેન્દ્ર પ્રધાનનું ૮૪ વર્ષની વયે અવસાન થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. દેવેન્દ્ર પ્રધાનને શ્રદ્ધાંજલિ આપી.