જાફરાબાદ એસબીઆઈ બેંક સરકાર શ્રી ના પરિપત્રોનો કરી રહીં છે ઉલાળીયો
પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત બેંક ગ્રાહકોને આપી રહી છે ઉડાઉ જવાબ.
જાફરાબાદ ખાતે આવેલ એસબીઆઈ બેંક દ્વારા શહેરી ફેરિયાઓ ને પી.એમ. સ્વનિધિ અંતગર્ત લોન સહાય આપવામાં વિવિધ બહાનાઓ અને કારણ દર્શાવીને અરજદારોને લોન સહાય આપવામાં આવતી નથી અને કહેવામાં આવે છે કે અમારી બેંક પૂરતો સ્ટાફ નથી અને આ સરકારને લગતી યોજના છે. તો શું સરકારી યોજનાઓ નો અમલ નથી કરવાનો ? અરજદારને ખોટાં વાયદાઓ આપી ખોટા વાયદાઓ આપીને ધરમ ધક્કા ખવડાવવામાં આવે છે. અને પી.એમ.સ્વનિધિ લોન લાભાર્થીઓ આખરે કંટાળીને લોન લેવાનું માંડી વાળે છે. જનતા જનાર્દન ને યોજનાનો લાભ મળતો નથી મોટી ગુલબાંગો ફેંકતી નેતા ગીરી ધ્યાન આપશે ? કે પછી હોતા હૈ ચલતા હૈ તેવી નિતી અપનાવવામાં આવશે તેવું જાફરાબાદની જનતા જનાર્દન માંથી ચચૉઓ થઈ રહી છે . આ બાબતે નગરપાલિકા દ્વારા આ યોજનાને લગતા સંબંધિત અધિકારીઓને લેખિત જાણ કરવા આવી છે.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.