પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ માં જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવી
વિહલધામ પાળીયાદ ગુરુવારે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરી હતી. પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યાથી પૂજ્ય નાથીબાઈના મંદિર સુધી સામૂહિક શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રાની આગેવાની મહંત પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મલાબાએ કરી હતી અને તેમાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
(કનુભાઈ ખાચર દ્વારા): પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા મા ગુરુવાર ના રોજ જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવી આજે એટલે કે જન્માષ્ટમી ના પવિત્ર દિવસે જગ્યા ની પરંપરા મુજબ પૂજ્ય શ્રી વિસામણબાપુ ના દીકરી પૂજ્ય નાથીબાઈ માં ના દેવળે જગ્યા ના મહંત પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના હસ્તે ધજારોહણ કરવામાં આવ્યું.
પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા થી લઇ નાથીબાઈમાં ના દેવળ સુધી ભવ્યાતિભવ્ય શોભા યાત્રા નીકળી આ શોભાયાત્રા મા પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા થી સવારે ૯:૩૦ વાગ્યે નીકળી બપોરે ૧૨:૦૦ વાગ્યે નાથીબાઈમાં ના દેવળે ધજારોહણ થયું આ શોભાયાત્રા માં ઢોલ શરણાઈ ના તાલે ઠાકર વિહળાનાથ ના કિસ્સા,ભજન, કીર્તન ના સૂર સાથે ભાંભણ ગામ ની રાસમંડળી દ્વારા રાસ તેમજ શોભાયાત્રા મા ,જગ્યા ના અશ્વો,વિન્ટેજ ગાડીઓ અને ખુબ મોટી સંખ્યા માં ગામના લોકો અને ઠાકર ના સેવકો અને સમસ્ત વિહળ પરિવાર જોડાયા અને પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા,પૂજ્ય શ્રી ભયલુબાપુ,પૂજ્ય શ્રી ગાયત્રીબા,પૂજ્ય શ્રી દિયાબા તેમજ પૂજ્ય શ્રી પૃથ્વીરાજબાપુ ના હસ્તે નાથીબાઈ માં ના દેવળે ધજા ચડાવવામાં આવી.
ત્યારબાદ સૌ જગ્યામા આવી પ્રસાદ લઇ ધન્યતા અનુભવી ત્યારબાદ સાંજે ૪:૦૦ વાગ્યે બાલઠાકર શ્રી પૃથ્વીરાજબાપુ દ્વારા મટકી ફોડી કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરી ત્યારબાદ રાત્રે ૧૨:૦૦ વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણજન્મોત્સવ ની ભવ્ય ઉજવણી ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ અને શ્રી કૃષ્ણભગવાન ની ઢોલ નગારા સાથે ભવ્ય આરતી કરવામાં આવી આરતીમા ફટાકડા ફોડી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નારા સાથે ભવ્યાતીભવ્ય આરતી કરવામાં આવી.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી