તિલકવાડાના ભાદરવા ગામ પાસેથી સગીર દીકરીનું લગ્નની લાલચે અપહરણ
નર્મદા જિલ્લાનાં તિલકવાડા તાલુકાના ભાદરવા ગામ નજીકથી એક સગીરાનું અપહરણ થયાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે.
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાનાં તિલકવાડા તાલુકાના ભાદરવા ગામ નજીકથી એક સગીરાનું અપહરણ થયાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે. જેમાં મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના એક ગામમાં રહેતા વાલીએ આપેલી ફરિયાદ મુજબ તેમની સગીર વયની દીકરીને રોહિતભાઇ કંચનભાઈ વસાવા રહે. વાસણ તા.તિલકવાડા જી.નર્મદા નામનો યુવાન વાલીપણા માંથી લલચાવી-ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી અપહરણ કરી લઇ જઇ જતા પોલીસે યુવાન વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં અનેકવાર સગીર બાળકીઓ પર દુષ્કર્મ,અપહરણનાં બનાવો બન્યા છે અને ઝેરી દવા પી આપઘાતની ઘટનાઓ પર જોવા મળી છે. જોકે નર્મદા પોલીસ આ મુદ્દે કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરે છે પરંતુ વાલીઓએ પણ આવી ગંભીર ઘટનાનાં બને તે માટે પોતાના સંતાનોને મોબાઇલ સહિત અમુક બાબતે ટકોર કરી પોતાના સંતાન પર કોઈ આફતનાં આવે તેની તકેદારી લેવી જરૂરી છે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી