લુધિયાણામાં 8.49 કરોડની લૂંટ : માસ્ટરમાઇન્ડ મોનાની પતિ સાથે ધરપકડ, 5.75 કરોડ રિકવર
લુધિયાણાની લૂટર હસીના તરીકે જાણીતી મનદીપ કૌર ઉર્ફે મોના આખરે પોલીસની પકડમાં આવી ગઈ છે. તેણી પર 8.49 કરોડ રૂપિયાની CMS રોકડ લૂંટવાનો આરોપ છે અને આ કેસમાં તે ફરાર હતી. પોલીસે માસ્ટરમાઇન્ડ મનદીપ ઉર્ફે મોનાની સાથે તેના પતિ જસવિંદર સિંહની પણ ધરપકડ કરી છે.
લુધિયાણાની લૂટર હસીના તરીકે જાણીતી મનદીપ કૌર ઉર્ફે મોના આખરે પોલીસની પકડમાં આવી ગઈ છે. તેણી પર 8.49 કરોડ રૂપિયાની CMS રોકડ લૂંટવાનો આરોપ છે અને આ કેસમાં તે ફરાર હતી. પોલીસે માસ્ટરમાઇન્ડ મનદીપ ઉર્ફે મોનાની સાથે તેના પતિ જસવિંદર સિંહની પણ ધરપકડ કરી છે. પોલીસે તેનું લોકેશન ઉત્તરાખંડમાં શોધી કાઢ્યું, જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી. આ કેસમાં પોલીસ અન્ય બે આરોપીઓની શોધખોળ કરી રહી છે.
માહિતી અનુસાર, શુક્રવારે લુધિયાણા પોલીસે મોનાને પકડવા માટે ‘લેટ્સ કેજ ધ ક્વીન બી’ ઓપરેશન શરૂ કર્યું. માસ્ટર માઈન્ડ મોનાની શોધમાં પોલીસની પાંચ ટીમો દરોડા પાડી રહી હતી. આ કેસમાં અગાઉ જે લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેમાં મનજિંદર સિંહ, મનદીપ સિંહ, હરવિંદર સિંહ, પરમજીત સિંહ, હરપ્રીત સિંહ અને નરિંદર સિંહનો સમાવેશ થાય છે. ફરાર આરોપીઓના નામ અરુણ કુમાર અને નાની તરીકે આપવામાં આવ્યા છે. આ લૂંટ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 5.75 કરોડ રૂપિયાની રિકવરી કરી છે. હાલ પોલીસ અઢી કરોડથી વધુની ઉચાપત મામલે કાર્યવાહી કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, 10 જૂને લુધિયાણામાં રાજગુરુ નગર પાસે CMS ઇન્ફો સિસ્ટમ લિમિટેડની ઓફિસમાં 8.49 કરોડ રૂપિયાની લૂંટ થઈ હતી. આ કેસમાં અગાઉ 60 કલાકથી ઓછા સમયમાં પોલીસે 10 આરોપીઓમાંથી પાંચ મુખ્ય શકમંદોની ધરપકડ કરી હતી. શનિવારે વહેલી સવારે લગભગ 10 સશસ્ત્ર માણસોનું એક જૂથ કંપનીની ઓફિસમાં ઘૂસી ગયું હતું, પાંચ કર્મચારીઓને બંધક બનાવીને કંપનીની ઓફિસમાંથી 8.49 કરોડ રૂપિયા લૂંટી લીધા હતા અને કેશ વાનમાં ફરાર થઈ ગયા હતા. બાદમાં મુલનપુર પાસે વાન છોડી દીધી હતી.
પોલીસે વાનમાંથી કંપનીના ત્રણ હથિયારો કબજે કર્યા હતા. પોલીસે મનજિન્દર સિંહ પાસેથી 1 કરોડ રૂપિયા, મનદીપ સિંહ પાસેથી 50 લાખ રૂપિયા, હરવિંદર સિંહ ઉર્ફે લંબુ પાસેથી 75 લાખ રૂપિયા અને ગુનામાં વપરાયેલ ફોલ્ડેબલ સીડી, પરમજીત સિંહ પાસેથી 25 લાખ રૂપિયા અને ઈસ પાસેથી રૂપિયા 25 લાખ રિકવર કરવાનો દાવો કર્યો છે. લૂંટારુઓએ ગુનાને અંજામ આપવા માટે બે અલગ-અલગ જૂથ બનાવી લીધા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તેઓ જાણીજોઈને તેમના મોબાઈલ ફોનને સ્થળ પર લઈ ગયા ન હતા, જેથી તેમનું લોકેશન ટ્રેસ ન થઈ શકે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે, આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે આગામી ચૂંટણી માટે ટિકિટ ન મળતાં તેના આઠ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે.
નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારમણ સતત આઠમું બજેટ રજૂ કરશે. આમાં કેટલીક મોટી જાહેરાતો થઈ શકે છે. આ ઘોષણાઓ લોકોની જરૂરિયાતો, ભાજપનો ઢંઢેરો અને મીડિયા અહેવાલો પર આધારિત છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું, જેમાં પવિત્ર સ્થળ પર આવતા ભક્તોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.