આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામને કારણે મેમુ ટ્રેનો રદ રહેશે
પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરાસેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી મેમુટ્રેનો રદ રહેશે.
પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરાસેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી મેમુટ્રેનો રદ રહેશે.
1. ટ્રેન નંબર 09131 આણંદ – ગોધરા મેમુ ટ્રેન 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી રદ રહેશે.
2. ટ્રેન નંબર 09132 ગોધરા – આણંદ મેમુ ટ્રેન 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી રદ રહેશે.
3. ટ્રેન નંબર 09379 આણંદ - ડાકોર મેમુ ટ્રેન 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી રદ રહેશે.
4. ટ્રેન નંબર 09380 ડાકોર – આણંદ મેમુ ટ્રેન 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી રદ રહેશે.
• ટ્રેન નંબર 19319 વેરાવળ – ઈન્દોર મહામના એક્સપ્રેસ 02.10.24, 09.10.24, 16.10.24 , 23.10.24 અને 30.10.24 ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગેરતપુર - આણંદ - બાજવા - છાયાપુરી – ગોધરા થઈ ને ચલાવવામાં આવશે.
• ટ્રેન નંબર 20936 ઈન્દોર – ગાંધીધામ સુપરફાસ્ટ 06.10.24, 13.10.24 , 20.10.24 અને 27.10.24 ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગોધરા - છાયાપુરી - બાજવા - આણંદ – ગેરતપુર થઈ ને ચલાવવામાં આવશે.
રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનનાઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરોwww.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
"ગુજરાતના જૂનાગઢમાં નકલી નોટ છાપનાર ત્રણ શખ્સો પોલીસના હાથે ઝડપાયા. રાજકોટની આંગડિયા પેઢીમાંથી 12 નકલી નોટો મળી, જેની તપાસમાં પ્રિન્ટિંગ મશીન અને કાગળ બરામદ થયા. જાણો આ ગુનાની સંપૂર્ણ વિગતો."
"અમદાવાદની VS હોસ્પિટલમાં ગેરકાયદે ક્લિનિકલ ટ્રાયલનો મોટો કૌભાંડ સામે આવ્યો છે. કરોડો રૂપિયાની ગેરરીતિ, એક ડોક્ટર સસ્પેન્ડ અને 8 કોન્ટ્રાક્ટ ડોક્ટરો બરખાસ્ત. જાણો ક્લિનિકલ ટ્રાયલના નિયમો અને આ ઘટનાની સંપૂર્ણ વિગતો."
સુરેન્દ્રનગરના ગેડિયા ગામે 2021માં થયેલા હનીફ ખાન અને મદીનખાનના એન્કાઉન્ટર કેસમાં ધ્રાંગધ્રા કોર્ટે PSI વીરેન્દ્રસિંહ જાડેજા સહિત 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ FIRનો આદેશ આપ્યો. સમગ્ર ઘટના, કોર્ટનો નિર્ણય અને પરિવારની પ્રતિક્રિયા જાણો.