કાર લોન માટે મહિન્દ્રા ફાઇનાન્સ અને બેંક ઑફ બરોડા વચ્ચે ભાગીદારી
કાર લોન લેવા માગતા ગ્રાહકોની સરળતા માટે મહિન્દ્રા ફાઇનાન્સ અને બેંક ઑફ બરોડાએ હાથ મિલાવ્યા છે. મહિન્દ્રા જૂથની દેશની એક અગ્રણી નોન-બેંન્કિંગ ફાઇનાન્સ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ)
અને જાહેર ક્ષેત્રની દેશની અગ્રણી બેંકો પૈકી એક બેંક ઑફ બરોડા (BOB) વચ્ચે કાર લોન પૂરી પાડવા માટે ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે.
આ ભાગીદારી હેઠળ નવી તેમજ પ્રી-ઓન્ડ બંને પ્રકારની કાર માટે લોનનો સમાવેશ
કાર લોન લેવા માગતા ગ્રાહકોની સરળતા માટે મહિન્દ્રા ફાઇનાન્સ અને બેંક ઑફ બરોડાએ હાથ મિલાવ્યા છે. મહિન્દ્રા જૂથની દેશની એક અગ્રણી નોન-બેંન્કિંગ ફાઇનાન્સ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ)
અને જાહેર ક્ષેત્રની દેશની અગ્રણી બેંકો પૈકી એક બેંક ઑફ બરોડા (BOB) વચ્ચે કાર લોન પૂરી પાડવા માટે ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે. આ સમજૂતી હેઠળ મહિન્દ્રા ફાઇનાન્સ તેની વિશાળ ફિલ્ડ અને બ્રાન્ચ ચૅનલ મારફત બેંક ઑફ બરોડા માટે નવી તેમજ પ્રી-ઓન્ડ કારની લોન માટે ગ્રાહકોને સુવિધા ઉપલબ્ધ કરાવશે. એ લોનનું પ્રોસેસિંગ બેંક ઑફ બરોડાના દેશભરમાં ફેલાયેલા વ્યાપક નેટવર્ક દ્વારા થશે. આ સમજૂતી એપ્રિલ 1, 2023થી રાષ્ટ્રીય સ્તરે અમલમાં આવી છે.
મહિન્દ્રા ફાઇનાન્સના એમડી અને સીઈઓ રાઉલ રેબેલોએ કહ્યું કે, “મહિન્દ્રા ફાઇનાન્સનો મૂળભૂત આશય એક જ સ્થળે વિવિધ પ્રકારની નાણાકીય જરૂરિયાતો પૂરી પાડવાનો છે. આ ભાગીદારીને કારણે અમે તમામ સ્થળે વિવિધ પ્રકારના ગ્રાહકોને ક્રેડિટ સુવિધા મેળવવામાં મદદરૂપ થઈશું. બેંક ઑફ બરોડા સાથે ભાગીદારી કરીને અમે પ્રસન્ન છીએ અને પરસ્પર લાભદાયક તથા લાંબાગાળાની જોડાણ માટે આશાવાદી છીએ.”
બેંક ઑફ બરોડાના ચીફ જનરલ મેનેજર (રિટેલ એસેટ્સ, એમએસએમઈ અને રૂરલ તથા ગ્રામ્ય બેંકિંગ) શ્રી રાજેશ મલ્હોત્રાએ જણાવ્યું કે, “કાર લોન બિઝનેસમાં મહિન્દ્રા ફાઇનાન્સ સાથે અમારી ભાગીદારીનો આ પ્રારંભ છે. બેંક ઑફ બરોડા તથા મહિન્દ્રા ફાઇનાન્સ એ બંને પ્રતિષ્ઠિત ફાઇનાન્સિયલ સર્વિસિસ સંસ્થાઓ છે, જે વાહનો માટે ફાઇનાન્સિંગના ક્ષેત્રમાં મજબૂત સ્થાન ધરાવે છે અને આ ભાગીદારીથી અમે અમારો વ્યાપ વધારી શકીશું અને તમામ સેગમેન્ટમાં ગ્રાહકોની સેવા કરી શકીશું.”
બજેટ 2025 રજૂ થયા પછી, લોકસભામાં ઉષ્મા અને પ્રશંસાનો ક્ષણ જોવા મળ્યો, કારણ કે મંત્રીઓ અને સાંસદોએ નાણામંત્રી નિર્મલા સીતારમણને જન કલ્યાણલક્ષી બજેટ રજૂ કરવા બદલ અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે અભિનંદન આપવા માટે તેમની બેઠક પર ગયા, જેનાથી આ પ્રસંગ વધુ ખાસ બન્યો.
બજેટ 2025 માં, વીમા ક્ષેત્રને બૂસ્ટર ડોઝ આપવા માટે કામ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે એટલે કે શનિવારે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે વીમા ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે.
શનિવારે બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી. આમાં, TDS મર્યાદા વધારવાના નિર્ણયથી ભાડૂઆત અને મકાનમાલિક બંનેને અસર થશે. આ મર્યાદા 2.40 લાખ રૂપિયાથી વધારીને 6 લાખ રૂપિયા કરવાથી બંને શ્રેણીઓને રાહત મળશે.