જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં મોટો અકસ્માત; ચાર લોકોના મોત, બે ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ડાછન વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં અન્ય બે લોકો ઘાયલ થયા હતા.
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ડાછન વિસ્તારમાં મંગળવારે સાંજે મારુતિ કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના અંગે જમ્મુ અને કાશ્મીર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, એક મારુતિ કાર, જેનો નંબર JK01K-5426 હતો, હેરોઈન નાલા ડાછનમાં અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પોલીસે જણાવ્યું કે અકસ્માત બાદ તરત જ પોલીસ સ્થાનિક લોકો સાથે ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ લોકોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ લઈ ગયા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઘટના અંગે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે કાર રસ્તા પરથી લપસીને ઉંડી ખાઈમાં પડી હતી. કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો જેના કારણે આ કરુણ ઘટના બની હતી. પોલીસે હજુ સુધી મૃતકો અને ઘાયલોની ઓળખ જાહેર કરી નથી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ હૈદરાબાદ એરપોર્ટ પર 850 કરોડ રૂપિયાના ફાલ્કન કૌભાંડ સાથે જોડાયેલા એક ખાનગી જેટને જપ્ત કર્યું છે. આ જેટ કૌભાંડના મુખ્ય આરોપી અમરદીપ કુમારનું હોવાનું કહેવાય છે, જેણે દુબઈ ભાગી જવા માટે તેનો ઉપયોગ કર્યો હતો. EDનો દાવો છે કે આ જેટ કૌભાંડના પૈસાથી ખરીદવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, પુડુચેરીના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર કિરણ બેદીએ કહ્યું કે જ્યારે માતાપિતા દીકરીઓને આશીર્વાદ માનવા લાગશે, ત્યારે તેમનો ઉછેર પણ સારો થશે. તેમને બોજ નહીં પણ આશીર્વાદ માનવા જોઈએ.
દિલ્હી કેબિનેટે મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 2500 રૂપિયા મળશે.