સતકર્મોના ૧૧ વર્ષ સફળતાપૂર્ક સંપન્ન કરી મેંગોપીપલ પરીવાર દ્વારા ૧૨ માં વર્ષમાં મંગલપ્રવેશ
એપ્રીલ ૨૦૧૪ થી કાર્યરત નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત મેંગોપીપલ પરીવાર સંસ્થા છેલ્લા ૧૨ વર્ષથી ઝુપડપટ્ટીના બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ કરી રહેલ છે. મેંગોપીપલ પરીવાર દ્વારા દરરોજ ઝુપડપટ્ટીમાં અંદર જઈને બાળકોને નિઃશુલ્ક અક્ષરજ્ઞાન આપવામાં આવે છે.
એપ્રીલ ૨૦૧૪ થી કાર્યરત નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત મેંગોપીપલ પરીવાર સંસ્થા છેલ્લા ૧૨ વર્ષથી ઝુપડપટ્ટીના બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ કરી રહેલ છે. મેંગોપીપલ પરીવાર દ્વારા દરરોજ ઝુપડપટ્ટીમાં અંદર જઈને બાળકોને નિઃશુલ્ક અક્ષરજ્ઞાન આપવામાં આવે છે. સામાન્ય જ્ઞાન મેળવ્યા બાદ મેંગોપીપલ પરીવાર આ બાળકોને શેક્ષણીક રીતે એડોપ્ત કરે છે, અને નજીક ની શાળામાં આગળ અભ્યાસ માટે દાખલ કરે છે. બાળક જ્યાં સુધી અભ્યાસ કરે ત્યાં સુધીનો તમે ખર્ચ મેંગોપીપલ પરીવાર સંસ્થા ઉપાડે છે. મેંગોપીપલ પરીવાર દ્વારા બાળકોને અભ્યાસ બાદ દરરોજ શુદ્ધ અને પૌષ્ટિક નાસ્તો પણ અર્પણ કરવામાં આવે છે. આજના શુભ દિવસથી મેંગોપીપલ પરીવાર દ્વારા તેમની વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. www.mangopeople.org જેની અચૂક મુલાકાત લેશો.
ઉપરાંત મેંગોપીપલ પરીવાર દ્વારા શરુ કરાયેલ "પ્રોજેક્ટ મુસ્કાન" અંતર્ગત છેલ્લા ૭ વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમવિસ્તારોની દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ્સ તથા અન્ડરગારમેન્ટ દર મહિને વિતરણ કરવામાં આવે છે. પ્રોજેક્ટ મુસ્કાન ના ફાવુંન્ડર શ્રીમતી રુપલબેન રાઠોડ દ્વારા દરેક દીકરીઓ ને ગંદા કપડાથી થતા નુકસાન અને સેનેટરી પેડ્સના ફાયદા સમજાવતા સુંદર સેમીનાર પણ ગોઠવવામાં આવે છે. પ્રોજેક્ટ મુસ્કાન હાલ રાજકોટ, જામનગર, વાંકાનેર ઉપરાંત હવે તો મોરબીમાં સરકારી શાળાઓ, આંગણવાડી કેન્દ્રો તથા છત્રાલયોમાં કાર્યરત છે.
સંસ્થાના આવા અનેક ભગીરથ કાર્યોમાં સહભાગી થવા માટે અને સંસ્થાન ૧૨ માં વર્ષમાં મંગલપ્રવેશ નિમિતે શુભેચ્છા આપવા માટે શ્રી મનીષભાઈ રાઠોડ મો. 9276007786 નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે.
ચાલો સાથે મળી કોઈના સ્મિતનું કારણ બનીએ...
અલ્હાબાદ બેન્કના ચેક બાઉન્સ કેસમાં બી આર ટ્રેડિંગના માલિક ભૂપેન્દ્ર પટેલને 12 મહિનાની સજા. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ થયેલી આ કાર્યવાહીમાં એડવોકેટ શ્રી નાનુભાઈ બ્રહ્મક્ષત્રિયની મહત્વની ભૂમિકા. અમદાવાદ કોર્ટના આ ચુકાદા વિશે સંપૂર્ણ વિગતો જાણો.
નમો શક્તિ એક્સપ્રેસ વે તથા અમદાવાદ-સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે વગેરેની કામગીરી માટે જમીન સંપાદન અને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ પ્રક્રિયામાં ઝડપ અને યોજનાઓ સમયસર શરૂ થાય તેવા આયોજન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત ઇલેક્ટ્રિક સિટી બસ ટ્રાફિક સિગ્નલ પર વાહનો તેમજ રાહદારીઓને ટક્કર મારતા ત્રણ લોકોના મોત થયા હતા.