સ્ટેટ લેવલ મોનિટરિંગ અને રિવ્યુ કમિટી તેમજ પોષણ અભિયાન હેઠળની SLSC અને કન્વર્જન કમ રીવ્યુ કમિટીની બેઠક યોજાઈ
ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ શ્રી રાજકુમારની અધ્યક્ષતા હેઠળ સ્ટેટ લેવલ મોનિટરિંગ અને રિવ્યુ કમિટી (SLMRC) તેમજ પોષણ અભિયાન હેઠળની સ્ટેટ લેવલ સેન્કસનિંગ કમિટી (SLSC) અને કન્વર્જન કમ રીવ્યુ કમિટીની બેઠક યોજાઈ હતી.
ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ શ્રી રાજકુમારની અધ્યક્ષતા હેઠળ સ્ટેટ લેવલ મોનિટરિંગ અને રિવ્યુ કમિટી (SLMRC) તેમજ પોષણ અભિયાન હેઠળની સ્ટેટ લેવલ સેન્કસનિંગ કમિટી (SLSC) અને કન્વર્જન કમ રીવ્યુ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સંબંધિત વિભાગના સચિવશ્રી
સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવ શ્રી કે. કે. નિરાલા દ્વારા રાજ્યમાં પોષણમાસ દરમિયાન થયેલી વિશેષ કામગીરીની વિગતો આપવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ અભિયાન ૨.૦, મિશન શક્તિ અને મિશન વાત્સલ્યના અમલીકરણ અંગે વિવિધ ચર્ચાઓ કરાઈ હતી. ત્યારબાદ સચિવશ્રી દ્વારા રાજ્યના લાભાર્થીઓને અપાતી સેવાઓ અને તેના કવરેજ અંગે માહિતી આપવામાં આવી હતી. જેને ધ્યાને લઈ મુખ્ય સચિવશ્રીએ શહેરી
અને ગ્રામ્ય વિસ્તારોમાં લાભાર્થીના કવરેજનું એનાલિસિસ કરીને વધુમાં વધુ કવરેજ થઈ શકે તે માટે પ્રયત્નો કરવા સૂચનાઓ આપી હતી.
મુખ્ય સચિવશ્રીએ વસ્તીના ધોરણોને ધ્યાને રાખી જરૂરિયાત મુજબ નવા આંગણવાડી કેન્દ્રો રાજ્ય સરકારના ૧૦૦ ટકા ફાળા સાથે શરૂ કરવા માટે સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, પોષણ ટ્રેકરમાં પૂરક પોષણના કવરેજમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ સરાહનીય કામગીરી કરી રહ્યું છે. તેમણે મમતા દિવસના રોજ રાજ્યની કિશોરીઓનું હિમોગ્લોબીન સ્ક્રીનીંગ કરવા પણ ભાર મૂક્યો હતો. તેમણે કુપોષણને નાથવા માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર ઘટાડવા કુપોષિત બાળકો અને તેની સંખ્યાનું સતત મોનિટરિંગ કરવા સૂચનાઓ આપી હતી.
આ ઉપરાંત કમિટીના સભ્યશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નોને પણ ધ્યાને લઈ તેનો ઝડપી ઉકેલ લાવવા માટે મહિલા અને બાળ વિકાસના સચિવશ્રી દ્વારા ખાતરી આપવામાં આવી હતી.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.