ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જૂનાગઢ ગીરનાર ખાતે મહાશિવરાત્રીની ઉજવણી કરી
ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને, મેળામાં સુરક્ષા માટે કરવામાં આવતા સીસીટીવી મોનિટરિંગની માહિતી મેળવી: જૂનાગઢ પોલીસની ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક નિયંત્રણ માટેની કામગીરીને બિરદાવી.
ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને, મેળામાં સુરક્ષા માટે કરવામાં આવતા સીસીટીવી મોનિટરિંગની માહિતી મેળવી: જૂનાગઢ પોલીસની ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક નિયંત્રણ માટેની કામગીરીને બિરદાવી.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ મહાશિવરાત્રીના પાવન દિવસની ઉજવણી જૂનાગઢ ગિરનાર ખાતે કરી હતી. મંત્રીશ્રીએ ગીરનાર તળેટીના ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને રાજ્યની શાંતિ, સલામતી અને નાગરિકોની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.
ગૃહ રાજ્ય મંત્રીએ ભવનાથ ક્ષેત્રના જુદા જુદા અખાડા અને આશ્રમો ખાતે સાધુ-સંતો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાધુ-સંતોએ પણ મંત્રીશ્રીને સ્વાગત અને સન્માન આપ્યું હતું. શંભુ પંચ અગ્નિ અખાડા ખાતે ગાયત્રી યજ્ઞની પૂર્ણાહુતિમાં પણ મંત્રીશ્રી સહભાગી બન્યા હતાં.
મહાશિવરાત્રીના મેળામાં સફાઈ કર્મીઓ દ્વારા સ્વચ્છતા જાળવવા માટે અપાતા યોગદાનની ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ ખાસ પ્રશંસા કરી હતી. તેમણે દત્તચોક ખાતે સફાઈ કર્મીઓનું શાલ ઓઢાડી સન્માન કર્યું અને મીઠાઈ વહેંચી તેમની સેવા માટે વંદન સહ અભિનંદન પાઠવ્યા હતા.
ગૃહ રાજ્ય મંત્રીએ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને, મેળાની સુરક્ષા માટે કરવામાં આવતા સીસીટીવી મોનિટરિંગની માહિતી મેળવી હતી. તેમણે જૂનાગઢ પોલીસની ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક નિયંત્રણ માટેની કામગીરીને બિરદાવી અને સંકલિત સુરક્ષા વ્યવસ્થાઓ માટે પ્રશંસા વ્યક્ત કરી હતી.
આ વિવિધ કાર્યક્રમોમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, જનકભાઈ તળાવીયા, રેન્જ IG શ્રી નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.
મહાશિવરાત્રીના પાવન અવસરે ઘૂઘવતા દરિયાના સાનિધ્યમાં શ્રદ્ધા અને કળાના સમન્વય 'સોમનાથ મહોત્સવ'માં પ્રખ્યાત વાયોલીનવાદક શ્રી મૈસૂર મંજૂનાથ, શ્રી સુમંત મંજૂનાથ અને મૃદંગવાદક ડૉ.તીરૂવરૂરની ત્રિપુટીએ વાયોલીન અને મૃદંગની જૂગલબંધીના માધ્યમથી તરખાટ મચાવ્યો હતો.
શ્રદ્ધા અને કલાના સમન્વય એવા 'સોમનાથ મહોત્સવ'ના તૃતીય દિવસે અનેકવિધ નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાંના ભરતનાટ્યમ નૃત્યાંગના શ્રી રાજશ્રી વારિયર અને નૃત્યવૃંદ દ્વારા સંગીત, સાહિત્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સમાન ભારતનાટ્યમના માધ્યમથી શિવની ઉપાસના રજૂ કરાઈ હતી.