રાજ્યના કુલ ૪ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ વરસાદ : સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં સૌથી વધુ ૩.૬૪ ઇંચ વરસાદ
ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૭૧.૬૭ ટકા, સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૩૨.૩૭ ટકા વરસાદ નોંધાયો.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૫ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કુલ ૪ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ૩.૬૪ ઇંચ એટલે કે ૯૧ મિ.મી, વલસાડના કપરાડામાં ૮૫ મિ.મી, આણંદમાં ૮૦ મિ.મી, અને ખેડાના નડિયાદમાં ૭૫ મિ.મી વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત સુરત જિલ્લાના ઉંમરપાડા તાલુકામાં ૭૩ મિ.મી, ગીર સોમનાથના કોડીનારમાં ૬૫ મિ.મી, વલસાડના વાપીમાં અને સુરતના ઓલપાડમાં ૬૪ મિ.મી, જુનાગઢના વંથલીમાં ૬૩ મિ.મી, જયારે કેશોદ અને માળિયાહાટીનામાં ૫૯ મિ.મી, માણાવદરમાં ૫૭ મિ.મી, વલસાડના પારડી અને સુરતના માંગરોળમાં ૫૨ મિ.મી, જુનાગઢના માંગરોળ અને મેંદરડામાં ૫૦ મિ.મી, એમ કુલ ૧૨ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જ્યારે રાજ્યના અન્ય ૪૦ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૧.૬૭ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૩૨.૩૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૦૫.૦૫ ટકા ઉત્તર ગુજરાતમાં ૬૧.૦૨ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૫૭.૬૦ ટકા, પૂર્વ ગુજરાતમાં ૫૫.૩૦ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
અમદાવાદ : ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સ અદાણી ફાઉન્ડેશન સાથે અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીના જન્મદિવસે ગુજરાતના સાંઘીપુરમ પ્લાન્ટ ખાતે અદાણી મેડિકલ સેન્ટરના ઉદ્ઘાટન કરતાં ગૌરવ અનુભવે છે. આ સેન્ટર અબડાસા અને લખપત બ્લોક્સના અંતરિયાળ ગામોના રહીશો માટે પાયાની હેલ્થકેર સુવિધાઓ પૂરી પાડવા માટે પૂરેપૂરી રીતે સજ્જ છે.
નર્મદા જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં અપાતા ગુણવત્તાયુક્ત શિક્ષણના પરિણામે વાલીઓનો વિશ્વાસ વધ્યો છે, આ વાતની સાબિતી આપતા ૪૬૬ બાળકોએ ખાનગી શાળાનો મોહ છોડી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ લીધો છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તામાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે કરાયેલા પ્રયત્નોનો આ પડઘો છે.
ગુજરાત સરકારે માર્ચમાં ધોરણ 9 થી 12 સુધીની પાત્રતા ધરાવતી કન્યા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે 2 યોજનાઓ શરૂ કરી હતી અને આ યોજનાઓ માટે 4 લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ નોંધણી કરાવી છે.