ચોમાસા દરમિયાન સારા વરસાદના પરિણામે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૯૫ ટકાથી વધુ જળસંગ્રહ
ચોમાસામાં સારા વરસાદના પરિણામે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૯૫ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૩,૩૦,૨૧૩ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૯૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.
ચોમાસામાં સારા વરસાદના પરિણામે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૯૫ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૩,૩૦,૨૧૩ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૯૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૯૬.૭૫ ટકા જળસંગ્રહ થયો છે, તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યના ૧૩૯ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. જ્યારે ૪૬ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા, ૧૩ જળાશયો ૫૦થી ૭૦ ટકા, ૦૪ જળાશયો ૨૫થી ૫૦ ટકા અને ૦૪ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા છે. આ ઉપરાંત દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ ૩૦ જળાશયો ૧૦૦ ટકા જેટલા, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયો ૯૪.૪૦ ટકા, કચ્છના ૨૦ જળાશયો ૮૨.૯૮ ટકા તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૭૪.૩૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આ સમયે રાજ્યમાં ૨૦૭ જળાશયોમાં ૯૫.૬૮ ટકા જ્યારે, આ વર્ષે ગઈ કાલની સ્થિતિએ રાજ્યમાં ૯૬.૮૨ ટકા જળસંગ્રહ નોંધાયો હતો.
આ ઉપરાંત રાજ્યના ઉકાઈ, ભાદર-૨, કડાણા, વણાકબોરી, ભાદર, ઓઝત-વિઅર (વંથલી), કરજણ, દમણગંગા, પાનમ, સસોઈ, રાણા ખીરસરા તેમજ ફોફલ-૧, ઓઝત-૨, માછણનાળા, છાપરવાડી-૨, આજી-૩, અને વર્તુ-૨ ડેમ ૧૦૦ ટકા જેટલા ભરાયા છે. જ્યારે, ધરોઈ ડેમ ૯૦.૪૮ ટકા, વાડીમાં ૮૯.૬૭ ટકા, ઓઝત- વિઅરમાં ૮૨.૫૬ ટકા તેમજ આજી-૪ ડેમમાં ૭૧.૭૯ ટકાનો જળસંગ્રહ નોંધાયો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.
સ્વ. શ્રી રતન ટાટાને વિશેષ શ્રધ્ધાંજલિ આપવા માટે એએમએ દ્રારા ગ્લોબલ મેનેજમેન્ટ થિંકર ડૉ. શૈલેષ ઠાકર દ્રારા "લીડરશિપ ઑફ રતન ટાટા" વિષય પર એક વિશેષ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્થાનિક આદિવાસી સંસ્કૃતિની ઝલક દર્શાવતા આદિવાસી નૃત્ય અને ઢોલના તાલે પદયાત્રા જંગલ સફારી પાર્કના માર્ગે આગળ વધી સરદાર સરોવર ડેમના વ્યૂ પોઈન્ટ-૧ ખાતે સંપન્ન : ઉત્સાહ ઉમંગ સાથે નાગરિકો અને કર્મચારીઓ જોડાયા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અત્યાર સુધીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિને જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતભરમાં “વિકાસ સપ્તાહ” ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે.