ચોમાસા દરમિયાન સારા વરસાદના પરિણામે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૯૫ ટકાથી વધુ જળસંગ્રહ
ચોમાસામાં સારા વરસાદના પરિણામે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૯૫ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૩,૩૦,૨૧૩ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૯૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.
ચોમાસામાં સારા વરસાદના પરિણામે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૯૫ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૩,૩૦,૨૧૩ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૯૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૯૬.૭૫ ટકા જળસંગ્રહ થયો છે, તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યના ૧૩૯ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. જ્યારે ૪૬ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા, ૧૩ જળાશયો ૫૦થી ૭૦ ટકા, ૦૪ જળાશયો ૨૫થી ૫૦ ટકા અને ૦૪ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા છે. આ ઉપરાંત દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ ૩૦ જળાશયો ૧૦૦ ટકા જેટલા, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયો ૯૪.૪૦ ટકા, કચ્છના ૨૦ જળાશયો ૮૨.૯૮ ટકા તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૭૪.૩૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આ સમયે રાજ્યમાં ૨૦૭ જળાશયોમાં ૯૫.૬૮ ટકા જ્યારે, આ વર્ષે ગઈ કાલની સ્થિતિએ રાજ્યમાં ૯૬.૮૨ ટકા જળસંગ્રહ નોંધાયો હતો.
આ ઉપરાંત રાજ્યના ઉકાઈ, ભાદર-૨, કડાણા, વણાકબોરી, ભાદર, ઓઝત-વિઅર (વંથલી), કરજણ, દમણગંગા, પાનમ, સસોઈ, રાણા ખીરસરા તેમજ ફોફલ-૧, ઓઝત-૨, માછણનાળા, છાપરવાડી-૨, આજી-૩, અને વર્તુ-૨ ડેમ ૧૦૦ ટકા જેટલા ભરાયા છે. જ્યારે, ધરોઈ ડેમ ૯૦.૪૮ ટકા, વાડીમાં ૮૯.૬૭ ટકા, ઓઝત- વિઅરમાં ૮૨.૫૬ ટકા તેમજ આજી-૪ ડેમમાં ૭૧.૭૯ ટકાનો જળસંગ્રહ નોંધાયો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.