વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગનું પ્રેરક કાર્ય
પૂરની વિપદા વેળા સગર્ભાઓની સલામત પ્રસૂતિ માટે આરોગ્ય વિભાગના આગોતરા આયોજનથી પ્રશંસનીય કામગીરી. એલર્ટ બાદ નદી કાંઠાના ગામોમાંથી સ્થળાંતરિત કરાયેલી ૧૦ સગર્ભા બહેનોમાંથી ૪ સગર્ભાની સફળતાપૂર્વક અને સલામત પ્રસૂતિ.
વડોદરા જિલ્લામાં પૂરની આફત સામે આગોતરી તૈયારીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગે કરેલી અથાગ મહેનત રંગ લાવી છે. તા. ૧૭ સપ્ટેમ્બરથી સતત વરસાદના કારણે વડોદરા જિલ્લામાં નર્મદા અને મહી નદીમાંથી પાણી છોડાતા એકાએક જિલ્લાના ૬ તાલુકામાં નદી કિનારાના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી આરોગ્ય વિભાગે એલર્ટ કરાયેલા વિસ્તારોમાં સગર્ભા બહેનોની ઓળખ અને સંપર્ક કરીને તેમના સલામત સ્થળાંતર માટે મિશન ઉપાડ્યું હતું. જેથી આકસ્મિક પરિસ્થિતિમાં પણ સગર્ભા બહેનોને ઝડપી અને પૂરતી સારવાર મળી શકે.
માનવીય અને સંવેદનશીલ અભિગમ સાથે મેદાનમાં ઉતરેલી આરોગ્ય વિભાગે તા. ૧૯ સપ્ટેમ્બરે સાવચેતીના ભાગરૂપે નદી કિનારાના ગામોની કુલ ૧૦ સગર્ભા બહેનોનું સલામત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. અને તા. ૨૦ સપ્ટેમ્બરના રોજ આ સગર્ભા બહેનોમાંથી ૪ સગર્ભાની સલામત સુવાવડ કરવામાં આવી છે. જેમાં માતા અને બાળક બંને તંદુરસ્ત છે. જ્યારે અન્ય સગર્ભા બહેનો હાલ સલામત રીતે હોસ્પિટલમાં છે.
મહત્વનું છે કે, વડોદરા જિલ્લાની માથે આવેલી કુદરતી આપદામાં આરોગ્ય વિભાગ દ્વારા ખડે પગે પોતાના કાર્યક્ષેત્રમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવામાં આવી છે. વડોદરા જિલ્લાના ૨૫ ગામોમાંથી વરસાદી પાણી ઉતરતાની સાથે આરોગ્યની ટીમ દ્વારા ક્લોરિનેશન, સ્વચ્છતા અને તાવ સાથે અન્ય પાણીજન્ય બિમારીઓ માટે તમામ ગામોમાં સર્વે કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અન્ય પણ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે, જેથી જાહેર આરોગ્યની કોઈ પણ ગંભીર પરિસ્થિતિ સર્જાય નહીં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કેન્સરના દર્દીઓને, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગને જીવનરક્ષક સારવાર પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
76મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના સફળ ટેબ્લો પાછળની ટીમ સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી, જ્યાં તેમણે રાજ્ય સાંસ્કૃતિક પ્રદર્શનમાં ત્રીજું સ્થાન મેળવવા બદલ અભિનંદન આપ્યા
ડાંગ જિલ્લામાં એક ભયાનક અકસ્માત થયો હતો, જ્યાં યાત્રાળુઓને લઈ જતી એક ખાનગી બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ દુ:ખદ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે 35 થી વધુ લોકો ઘાયલ થયા હતા.