આણંદ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળતાં શ્રી પ્રવીણ ચૌધરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા વર્ષ ૨૦૧૪ ની બેચના આઈ.એ.એસ. શ્રી પ્રવીણ ચૌધરીની આણંદ જિલ્લા કલેકટર તરીકે બદલી થતાં તેમણે જિલ્લા કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યો છે.
આણંદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા વર્ષ ૨૦૧૪ ની બેચના આઈ.એ.એસ. શ્રી પ્રવીણ ચૌધરીની આણંદ જિલ્લા કલેકટર તરીકે બદલી થતાં તેમણે જિલ્લા કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યો છે. મૂળ રાજસ્થાનના નાગૌર જિલ્લાના ડિડવાણા ગામના વતની શ્રી પ્રવીણ ચૌધરીએ વર્ષ ૨૦૧૦-૧૨માં આઈ.આઈ.ટી. મદ્રાસ ખાતે એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમ. ટેક. નો અભ્યાસ પૂર્ણ કરી વર્ષ ૨૦૧૪ ની સંઘ લોક સેવા આયોગની પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં જોડાયા હતા.
સરકારી સેવામાં જોડાયા બાદ તેમણે સૌપ્રથમ નડિયાદ અને છોટાઉદેપુરમાં મદદનીશ કલેકટર તરીકે અને ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે જૂનાગઢમાં સેવા આપી છે. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નોંધપાત્ર કામગીરી કરી છે.
ઉલ્લેખનીય છે કે, શ્રી પ્રવીણ ચૌધરીના બંને બહેનો પણ સરકારી સેવામાં કાર્યરત છે. તેમના એક બહેન વિધિ ચૌધરી વર્ષ ૨૦૦૯ ની બેચના આઈ.પી.એસ. છે જેઓ હાલ એડિશનલ કમિશનર ઓફ પોલીસ તરીકે રાજકોટમાં ફરજ બજાવી રહ્યા છે જ્યારે બીજા બહેન નિધિ ચૌધરી વર્ષ ૨૦૧૨ ની બેચના આઈ.એ.એસ. છે જેઓ મહારાષ્ટ્રમાં જોઈન્ટ કમિશનર જી.એસ.ટી. તરીકે ફરજ બજાવી રહ્યા છે.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.