જીયોરપાટી ગામે 6 વર્ષિય માસુમ બાળા સાથે બદકામ કરનાર નરાધમ ને અદાલતે 20 વર્ષ ની સજા ફટકારી
માસુમ બાળા અન્ય બાળકો સાથે રમતી હતી તેને પટાવી ફોસલાવી આ નરાધમે પોતાના ઘરે બોલાવી શારીરિક છેડછાડ કરી બદકામ કર્યું. રાજપીપળાની અદાલતે ભોગવનારને રૂપિયા એક લાખનું વળતર ચુકવવા પણ આદેશ કર્યો.
રાજપીપળા : નર્મદા જિલ્લાના રાજપીપળા પાસે આવેલ જીયોરપાટી ગામ ખાતે 6 વર્ષિય માસુમ બાળકી સાથે બદકામ કરનાર જીયોરપાટીના નરાધમને રાજપીપળાની નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ની અદાલતે આ ગુના માં 20 વર્ષ ની સજા ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.
રાજપીપળા કોર્ટ માં ચાલેલા કેસના આરોપી ઝાકીરશા ઉર્ફે જાકો ગુલુશા ઉર્ફે ગુલાબશા દિવાન રહે. જીઓરપાર્ટી દુધડેરીવાળુ ફળીયુ, તા.નાંદોદ જી.નર્મદા એ સગીર વયની બાળકી જીયોરપાટી ગામે મહોલ્લામાં રોડ ઉપર બીજા બાળકો સાથે રમતી હોય હવસખોર આરોપી ઝાકીરશા ઉર્ફે જાકો ગુલાબશા દિવાનનો બીજા બાળક ને દુકાને મોકલી આ બાળકીને તેના ઘરે બોલાવી દરવાજો અંદરથી બંધ કરી શારીરિક અડપલાં કરી બળાત્કાર કરી ભાગી ગયો હતો,આ બનાવની જાણ બાળકીના પરિવારજનો ને થતાં પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ એન.એસ. સીદ્દીકીની કોર્ટમાં ચાલી જતાં ફરીયાદી તરફથી જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ નાઓએ પુરાવાઓ અને ધારદાર દલીલો રજૂ કરતા કોર્ટે પુરાવાઓને ધ્યાનમાં રાખી ઈ.પી.કો. કલમ–૩૭૬(એ)(બી) મુજબ ગુનેગાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ અને રૂ.૫૦૦૦/– નો દંડ તેમજ પોકસો એકટ કલમ-૪ મુજબ ગુનેગાર ઠેરવી ૭ વર્ષની સખત કેદ અને રૂ.૫૦૦૦/– નો દંડ તેમજ પોકસો એકટ કલમ-૬ મુજબના ગુનામાં પણ ગુનેગાર ઠેરવી ૧૦ વર્ષની સખત કેદ અને રૂ.પ૦૦૦/– નો દંડની સજાનો હુકમ કર્યો છે આમ આ હવસખોર ને કુલ 20 વર્ષની સજા અને ભોગ બનનાર ને રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા નો હુકમ કર્યો છે.
દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યા પછી, સુરત આ પ્રતિષ્ઠિત દરજ્જાને જાળવી રાખવાની સતત જવાબદારીનો સામનો કરે છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શહેર સ્વચ્છતાનું દીવાદાંડી બની રહે તે માટે સક્રિયપણે ભાગ લીધો છે.
સુરેન્દ્રનગરના પરલી ગામમાં પિતાએ પોતાની પુત્રીને તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ ઇજા પહોંચાડી, ત્યારબાદ ઘટનાસ્થળેથી ભાગી જવાની કરુણ ઘટના સામે આવી છે.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ કે. કૈલાશનાથન, તેમના નિવૃત્ત મુખ્ય અગ્ર સચિવ, 2006 થી તેમની અનુકરણીય સેવા બદલ સન્માન કરે છે. કૈલાશનાથનની પ્રભાવશાળી કારકિર્દી અને યોગદાન વિશે જાણો.