દિવ્યાંગ મતદારો માટે ખાસ SAKSHAM એપ્લિકેશન સહિત વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાવતું નર્મદા ચૂંટણી તંત્ર
નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે સુદ્રઢ પ્રયાસો આદર્યા છે.
રાજપીપલા : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત નર્મદા જિલ્લા ચૂંટણી
અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે સુદ્રઢ પ્રયાસો આદર્યા છે. જિલ્લાના દિવ્યાંગ, ૮૫ વર્ષથી વધુ વયના, ૧૮-૧૯ અને ૨૦-૨૯ વર્ષની વયજૂથના તેમજ સર્વિસ સાથે સંકળાયેલા મતદારો પોતાના અમૂલ્ય મતાધિકારનો અસરકારક ઉપયોગ કરીને લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવે તે માટે નર્મદા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. આ વખતે પ્રથમ વખત મતદાન કરતા નવયુવા મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા પણ ખાસ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે.
નાંદોદ અને દેડિયાપાડા મતવિસ્તારમાં ૧૮૫૩ અને ૧૫૭૫ મળીને કુલ નર્મદા જિલ્લામાં કુલ ૩૪૨૮ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. દિવ્યાંગ મતદારો મતદાન મથકે સ્વયંસેવકોની સુવિધા સહિત SAKSHAM APPના માધ્યમથી એડવાન્સમાં વ્હીલચેરની જરૂરિયાત પણ રજિસ્ટર કરાવી શકશે. ૮૫ થી વધુ વયના મતદારોમાં નાંદોદ અને દેડિયાપાડા મતવિસ્તારમાં ૧૭૧૨ અને ૧૩૭૦ મળીને કુલ ૩૦૮૨ મતદારો છે. ઉપરાંત, ૧૮-૧૯ વર્ષના નવા મતદારોની સંખ્યા નાંદોદ અને દેડિયાપાડા મતવિસ્તારમાં ૬૮૪૦ અને ૭૮૫૧ મળીને કુલ ૧૪૬૯૧ છે. વધુમાં ૨૦-૨૯ વર્ષના યુવાનોની સંખ્યા નાંદોદમાં ૫૦૬૫૦ અને દેડિયાપાડામાં ૮૯૩૫૪ એમ મળીને કુલ ૧૧૦૦૦૪ છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.