નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૬૩૧.૪૦ મિ.મિ.વરસાદ નોંધાયો
જિલ્લામાં તા. ૨૫ મી જુલાઇથી સવારના ૬:૦૦ કલાકથી તા. ૨૬ મી જુલાઇ સવારના ૬:૦૦ કલાક સુધી ૨૨ મી.મી. વરસાદ નોંધાયો.
રાજપીપલા : નર્મદા જિલ્લામાં તા.૨૬ મી જુલાઇ, ૨૦૨૪ ને શુક્રવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડિયાપાડા તાલુકામાં ૬ મિ.મિ. સાગબારા તાલુકામાં ૨ મિ. મિ. ગરૂડેશ્વર તાલુકામાં ૪ મિ.મિ. નાંદોદ તાલુકામાં ૧ મિ.મિ. અને તિલકવાડા તાલુકામાં ૯ મિ.મિ. વરસાદ નોંધાતા છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ મી.મી. વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો સાગબારા તાલુકામાં ૬૬૬ મિ.મિ. દેડિયાપાડા તાલુકામાં ૬૨૧ મિ.મિ. તિલકવાડા તાલુકામાં ૭૨૦ મિ.મિ. ગરુડેશ્વર તાલુકામાં ૪૪૦ મિ.મિ. નાંદોદ તાલુકો ૭૧૦ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૬૩૧.૪૦ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ ૧૨૦.૦૦ મીટર, કરજણ ડેમ ૧૦૨.૬૦ મીટર, નાના કાકડીઆંબા ડેમ ૧૮૦.૯૦ મીટર અને ચોપડવાવ ડેમ ૧૭૯.૪૦ મીટરની સપાટી, રહેવા પામી હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
નવું આધાર ગવર્નન્સ પોર્ટલ જીવનને સરળ બનાવશે, સેવાઓને વધુ લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવશે અને નાગરિકો-કેન્દ્રિત સેવાઓની પહોંચમાં સુધારો કરશે.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.