નર્મદા જિલ્લાનું પ્રથમ લીગલ ગાર્ડીયનશીપ પ્રમાણપત્ર દિવ્યાંગ દયારામ વસાવાના પરિવારજનોને એનાયત
કમિટી દ્વારા નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ.ગાંધીના હસ્તે નર્મદા જિલ્લાનું પ્રથમ લીગલ ગાર્ડીયનશીપ પ્રમાણપત્ર જિલ્લાના દિવ્યાંગ શ્રી દયારામ શાંતિલાલ વસાવાના માતા તથા ભાઈને એનાયત કરીને લીગલ ગાર્ડીયન તરીકેની ફરજ બજાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી.
નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ.ગાંધીના અધ્યક્ષસ્થાને તાજેતરમાં નેશનલ ટ્રસ્ટ એક્ટ, ૧૯૯૯ હેઠળ કાર્યરત લોકલ લેવલ કમિટીની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કમિટી દ્વારા નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ.ગાંધીના હસ્તે નર્મદા જિલ્લાનું પ્રથમ લીગલ ગાર્ડીયનશીપ પ્રમાણપત્ર જિલ્લાના દિવ્યાંગ શ્રી દયારામ શાંતિલાલ વસાવાના માતા તથા ભાઈને એનાયત કરીને લીગલ ગાર્ડીયન તરીકેની ફરજ બજાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી.
ભારત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નેશનલ ટ્રસ્ટ એક્ટ હેઠળ આવરી લીધેલ માનસિક મંદતા, સેરેબલ પાલ્સી, ઓટીઝમ અને મલ્ટીપલ દિવ્યાંગતા માટે જિલ્લા સ્તરની લોકલ લેવલ કમિટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને જીવનના વિવિધ ક્ષેત્રોમાં હકિકતો અને સંજોગોના આધારે ભૌતિક, તબીબી અને કાનુની પ્રતિનિધિત્વ માટે તેમના માતા-પિતા અથવા તેમના સગા સંબંધીઓની લીગલ ગાર્ડીયનશીપ મંજૂર કરે છે. જેથી દિવ્યાંગ વ્યક્તિને લોન કન્સેશન, રાજ્ય સરકાર ડિસેબિલિટી પેન્શન, બેન્ક એકાઉન્ટ/ બેન્કિંગ વ્યવહાર/ પોસ્ટ ઓફિસ એકાઉન્ટ ખોલવા માટે વાલીપણા તરીકેની ફરજ બજાવવા મદદરૂપ થઈ શકે છે.
આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી બી. જે. પરમાર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ચેતન પરમાર, નેશનલ ટ્રસ્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રર થયેલ સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્રના પ્રતિનિધિશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ તથા અન્ય નિગમોની યોજનાના ૩.૯૯ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૫૦૦ કરોડથી વધુના લાભોનું વિતરણ કરાશે.
અમદાવાદ જિલ્લાના ધોલેરા SIRની વિકાસ કામગીરી અંગે પ્રત્યુત્તર આપતાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ ધોલેરા SIR ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીની રચનાની કામગીરી પ્રગતિમાં છે. અહીં અત્યાર સુધીમાં વિવિધ સેક્ટરમાં કુલ રૂ. ૩૫,૯૮૪.૫૮ કરોડનું રોકાણ પણ મળ્યું છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ