નર્મદા જિલ્લાના તાલુકા/ગ્રામ કક્ષાનો ૨૪ મી મેએ અને જિલ્લાકક્ષાનો ૨૫ મી મેએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
સ્વાગત ફરિયાદ નિવારણમાં ભાગ લેવા જિલ્લાના અરજદારોને તેમની ફરિયાદો તારીખ ૧૨/૦૫/૨૦૨૩ સુધીમાં સંબંધિત અધિકારીશ્રીઓને મોકલી આપવા કરાયેલી અપીલ
નર્મદા જિલ્લાના પ્રજાજનોની સુખાકારી માટે અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આગામી તા.૨૪/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૦૩૦ કલાકે નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકાઓનો તાલુકા સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ સંબંધિત તાલુકા મામલતદારશ્રીઓની કચેરીમાં અને ગ્રામ્ય સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૦=૩૦ કલાકે સંબંધિત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રીની કચેરીમાં યોજાશે. જ્યારે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૧=૦૦ કલાકે કલેક્ટર કચેરીના
કોન્ફરન્સ હોલ ખાતે યોજાશે.
આ ફરિયાદ નિવારણમાં ભાગ લેવા માટે અરજદારોએ તા.૧૨/૦૫/૨૦૨૩ ના રોજ સાંજે ૬:૦૦ કલાક સુધીમાં તેમનું પુરૂ નામ, પુરૂ સરનામું અને ટેલીફોન/મોબાઇલ નંબરની વિગતો સાથે તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે સંબંધિત મામલતદારશ્રીઓની કચેરીએ અને ગ્રામ્ય સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે સંબંધિત ગામના તલાટી-કમ-મંત્રીશ્રીની કચેરીએ અરજદારે પોતાની ફરિયાદ અરજી બે નકલમાં રજૂ કરવાની રહેશે. નામ વગરની કે અધુરી વિગતોવાળી અરજીઓ ફાઇલે કરવામાં આવશે.
વધુમાં, પોતાની વ્યકિતગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદો તા.૧૨/૦૫/૨૦૨૩ સુધીમાં જે તે ખાતાના પ્રશ્નો અંગે સંબંધિત ખાતાના વડાને સુવાચ્ય અક્ષરે અરજી કરવાની રહેશે અને તેની બે નકલ સંબંધિત મામલતદાર કચેરી, ખાતે તા.૧૨/૦૫/૨૦૨૩ સાંજના ૬=૦૦ કલાક સુધીમાં આપવાની રહેશે. ત્યારબાદ મળેલ અરજીઓ કાર્યક્રમમાં લેવામાં આવશે નહિં.
કોર્ટને લગતી, નીતિ વિષયક અને કર્મચારીને લગતા તથા સેવા વિષયક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે નહી. એક અરજીમાં એક જ પ્રશ્નની રજૂઆત કરવાની રહેશે. એક કરતા વધુ પ્રશ્નો હોય તો પ્રશ્નવાર અને ખાતાવાર અલગ-અલગ અરજી કરવાની રહેશે. ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારે સૌ
પ્રથમ ખાતાને અરજી કરેલ હોય અને જે તે ખાતાના વિભાગ મારફતે કોઇ કાર્યવાહી ન થવા પામી હોય અથવા જે તે વિભાગ દ્વારા કોઇ પ્રત્યુતર મળેલ ન હોય તેવી અરજીઓ જ સ્વાગત કાર્યક્રમ હેઠળ કરવાની રહેશે. આ અરજી સાથે જિલ્લામાં જે કચેરીમાં અરજી પડતર છે તેમને કરેલી રજૂઆતની નકલ સાથે અરજી કરવાની રહેશે. અરજદારે આ કાર્યક્રમમાં રજૂ કરેલા પ્રશ્નો તાલુકાકક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા જ પ્રશ્નો રજૂ કરવાના રહેશે.
અરજી ઉપર તેમજ અરજી મોકલવાના કવર ઉપર “જિલ્લા/તાલુકા/ગ્રામકક્ષાનો સ્વાગત કાર્યક્રમ” સ્પષ્ટ રીતે લખવાનું રહેશે. સરકારી વિભાગોના જિલ્લાકક્ષાના સંબંધિત અધિકારીશ્રીઓએ કલેક્ટરશ્રીની ચેમ્બરમાં, કલેક્ટર કચેરી, નર્મદા ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે. અરજદારે પણ તે જ દિવસે સવારે ૧૦:૩૦ કલાકે દર્શાવેલ સંબંધિત સ્થળે પોતાના પ્રશ્નો અંગેના આધાર-પુરાવા સહિત હાજર રહેવા નિવાસી અધિક કલેકટરશ્રી, નર્મદા-રાજપીપલા દ્વારા જણાવાયું છે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી