જીસીએસ હોસ્પિટલમાં નેશનલ કેન્સર સર્વાઇવર દિવસની ઉજવણી
જીસીએસ હોસ્પિટલમાં દર વર્ષે ૧૦,૦૦૦થી વધુ લોકો કેન્સરની નિઃશુલ્ક ટ્રીટમેન્ટ લે છે. જેમાંથી જે દર્દીઓની કેન્સરની ટ્રીટમેન્ટથી તંદુરસ્ત થઈને ખુશીથી ઘરે પરત ગયા છે એમના માટે નેશનલ કેન્સર સર્વાઇવર દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જીસીએસ હોસ્પિટલમાં અનોખી રીતે નેશનલ કેન્સર સર્વાઇવર દિવસની ઉજવણી કરવામાં આવી. જીસીએસ હોસ્પિટલમાં દર વર્ષે ૧૦,૦૦૦થી વધુ લોકો કેન્સરની નિઃશુલ્ક ટ્રીટમેન્ટ લે છે. જેમાંથી જે દર્દીઓની કેન્સરની ટ્રીટમેન્ટથી તંદુરસ્ત થઈને ખુશીથી ઘરે પરત ગયા છે એમના માટે નેશનલ કેન્સર સર્વાઇવર દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓનું ગુલાબથી સમ્માન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ડોક્ટરો દ્વારા જન-જાગૃતિ માટે પ્રવચન આપવામાં આવ્યું, ડાયેટિશિયન દ્વારા ખાવા-પીવાની માહિતી આપવામાં આવી, ઉપરાંત દર્દીઓને સ્ટેજ પર બોલાવી સ્પેશ્યલ ગિફ્ટ આપીને સમ્માન કરવામાં આવ્યું. તેમજ દર્દીઓ ના એન્જોયમેન્ટ માટે ખાસ ગરબા નું આયોજન કર્યું હતું. બધા દર્દીઓ માટે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બધા દર્દીઓ ને શુભેરછાઓ પાઠવીને કાર્યક્રમ નો અંત કર્યો હતો.
ઉપરાંત જીસીએસ હોસ્પિટલ પાસે મેમોગ્રાફી બસની સુવિધા પણ છે. જેના માધ્યમથી જીસીએસ હોસ્પિટલ બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર માટે જનજાગૃતિ અભિયાન ચલાવે છે, અને મહિલાઓમાં બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર માટે જાગૃતી આવે એના માટે પ્રયત્નો કરે છે.
જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત 750-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.