આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય ખરવા મોવાસા નિયંત્રણ જાગૃતિ સપ્તાહની ઉજવણી શરૂ
આણંદ જિલ્લાના નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. એસ. બી. ઉપાધ્યાયે આણંદ જિલ્લાના પશુપાલકોને જણાવ્યું છે કે, આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય ખરવા મોવાસા નિયંત્રણ જાગૃતિ સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે.
આણંદ જિલ્લાના નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. એસ. બી. ઉપાધ્યાયે આણંદ જિલ્લાના પશુપાલકોને જણાવ્યું છે કે, આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય ખરવા મોવાસા નિયંત્રણ જાગૃતિ સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે, તદઅનુસાર આણંદ જિલ્લાના પશુપાલકોએ ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે વરસમાં બે વખત સમયસર પશુઓનું રસીકરણ કરાવવું જોઈએ.
ડો. ઉપાધ્યાયે વધુમાં જણાવ્યું કે પશુઓમાં જોવા મળતા ચિન્હો વિષાણુઓથી થતો ચેપી રોગ, પશુઓને તાવ આવે, મોઢામાંથી લાળ પડે, મુખમાં અને ખરીમાં ચાંદા પડે, પશુ લંગડાય, દુધાળા પશુના દૂધ ઉત્પાદનમાં કાયમી ઘટાડો થાય, બળદની કાર્યક્ષમતામાં કાયમી ઘટાડો થાય, પશુની ગરમી સહન કરવાની શક્તિ ઘટી જાય અને ગાભણ પશુ તરવાઈ જાય આ બધા રોગ જણાય તો આવા પશુઓને ખરવા મોવાસાના ચિન્હો છે તેમ ગણી શકાય. તેથી ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે હાલ આણંદ જિલ્લામાં ચાલી રહેલ જાગૃતિ સપ્તાહ અંતર્ગત તમામ પશુપાલકો પોતાના પશુઓનું રસીકરણ કરાવે તે જરૂરી છે અને ખરવા મોવાસા રોગમુક્ત ભારત અભિયાન તરફ પ્રતિજ્ઞા લઈને આ જાગૃતિ સપ્તાહમાં તમામ પશુપાલકો સહભાગી બને તેવી ડો. ઉપાધ્યાયે આણંદ જિલ્લાના પશુપાલકોને અપીલ પણ કરી છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.