નેપાળ પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ઉત્સુક : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
નેપાળ સરકારનું પ્રતિનિધિ મંડળ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ જાણવા રાજ્યપાલના કુરુક્ષેત્ર પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાતે.
નેપાળના કૃષિ અર્થશાસ્ત્રીઓ, પ્રગતિશીલ ખેડૂતો અને નેપાળ સરકારના કૃષિ અને પશુધન મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને તેના લાભોની જાણકારી મેળવવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલા પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાતે આવ્યું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, નેપાળ પણ રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઈડ્સનો ઉપયોગ બંધ કરીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા ઇચ્છુક છે.
નેપાળના પ્રધાનમંત્રી રાસાયણિક ખાતર માટે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળ્યા હતા. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાનું સૂચન કર્યું હતું અને એ માટે જરૂરી માર્ગદર્શન આપવાની પણ તૈયારી દર્શાવી હતી. આ સંદર્ભે ભારત સરકારના વિદેશ મંત્રાલયના માધ્યમથી નેપાળ સરકારનું પ્રતિનિધિ મંડળ કુરુક્ષેત્ર પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લેવા અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે જાણકારી મેળવવા ભારત આવ્યું છે.
આજે કુરુક્ષેત્રમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નેપાળના પ્રતિનિધિ મંડળને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે વિગતવાર જાણકારી આપી હતી. કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર હરિ ઓમે પણ ટેકનિકલ જાણકારી આપી હતી. પ્રતિનિધિ મંડળે આજે પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી.
નીતા ચૌધરી, ગાંધીધામ CID ક્રાઈમમાં તૈનાત એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાતના કચ્છમાં થાર જીપમાં દારૂની બોટલો સાથે તેની ધરપકડ બાદ જટિલ કાનૂની લડાઈમાં ફસાઈ ગઈ છે. આ ઘટનાએ ચકચાર જગાવી છે અને ગંભીર આક્ષેપો કર્યા છે.
ગુજરાતના ગીર સોમનાથમાં સત્તાવાળાઓએ એક દરિયા કિનારેથી આશરે 72 લાખની કિંમતના ચરસનો નોંધપાત્ર જથ્થો જપ્ત કર્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) એ દરિયાકાંઠે નિયમિત સર્ચ ઓપરેશન દરમિયાન બિન વારસાગત ચરસ શોધી કાઢ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રાની ૧૪૭મી કડી સફળતાથી સાકાર થાય તે માટેના કાર્ય આયોજનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી.