વડોદરા મધ્યસ્થ બસ ડેપો ખાતેથી નવીન ૫૧ બસોનું હર્ષ સંઘવીના હસ્તે અપાઈ લીલીઝંડી
લોકોની પરિવહન અને પ્રવાસની સુવિધા સુખદ બનાવવાના ઉદ્દેશ્યથી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા રાજયભરમાં કુલ ૫૧ બસોની ભેટ મળી રહી છે. આ અન્વયે વડોદરા મધ્યસ્થ બસ ડેપોથી વાહન વ્યવહાર અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
વડોદરા : લોકોની પરિવહન અને પ્રવાસની સુવિધા સુખદ બનાવવાના ઉદ્દેશ્યથી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા રાજયભરમાં કુલ ૫૧ બસોની ભેટ મળી રહી છે. આ અન્વયે વડોદરા મધ્યસ્થ બસ ડેપોથી વાહન વ્યવહાર અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમ દરમ્યાન નવીન સુપર અને સ્લીપર બસોનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે રાજ્યને સમર્પિત ૫૧ બસને લીલી ઝંડી આપ્યા બાદ મંત્રી શ્રી એ આગામી કાર્યક્રમના સ્થળ સુધી નવીન બસમાં સવારી કરી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત વડોદરાને કુલ છ સુપર બસ પૈકી કરજણ ડેપોને વડોદરા થી શિરપુર અને શિરપુર થી વડોદરા રૂટની બસ, પાદરા ડેપોને પાદરા થી રાજકોટ રૂટની બસ, ડભોઇ ડેપોને વડોદરા - સુરત - અમદાવાદ રૂટની બસ અને વડોદરા ડેપોને વડોદરા થી સુન્ધામાતા માટેની અપ-ડાઉન બસ મળી છે. જ્યારે વડોદરાના છોટાઉદેપુર ડેપોને વાંકાનેર થી છોટાઉદેપુરની અપ-ડાઉન સ્લીપર બસ મળી છે.
આ કાર્યક્રમમાં વિધાનસભા મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુકલ, મેયર શ્રીમતી પીન્કીબેન સોની, ધારાસભ્ય શ્રીમતી મનિષાબેન વકીલ, શ્રી કેયુરભાઈ રોકડીયા, અગ્રણી ડૉ. વિજય શાહ, મહા નગરપાલિકા કમિશનર શ્રી દિલીપ રાણા, કલેકટર શ્રી અતુલ ગોર,પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હીરપરા, જી.એસ.આર.ટી.સી. ના અધિકારીગણ, પદાધિકારીઓ અને મહાનુભાવોશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો.
નવું આધાર ગવર્નન્સ પોર્ટલ જીવનને સરળ બનાવશે, સેવાઓને વધુ લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવશે અને નાગરિકો-કેન્દ્રિત સેવાઓની પહોંચમાં સુધારો કરશે.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.