નર્મદા જિલ્લામાં આગામી તા. ૨૩ થી ૨૫ જૂન દરમિયાન પોલિયો ઝુંબેશ યોજાશે
રાજ્ય સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પણ તા. ૨૩ થી ૨૫ જૂન-૨૦૨૪ દરમિયાન પોલિયો ઝુંબેશ યોજાનાર છે.
રાજપીપલા : રાજ્ય સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પણ તા. ૨૩ થી ૨૫ જૂન-૨૦૨૪ દરમિયાન પોલિયો ઝુંબેશ યોજાનાર છે. આ ત્રિ-દિવસીય ઝુંબેશ દરમિયાન નર્મદા જિલ્લાનાં અંદાજિત કુલ ૫૫૯૦૦ જેટલા બાળકોને જિલ્લાનાં આરોગ્ય કર્મીઓ દ્વારા પોલીયોનાં બે ટીપા પિવડાવવામાં આવશે.
પોલિયો ઝુંબેશના પ્રથમ દિવશે ૨૨૪ બુથ પર પોલિયોનાં ટીંપા પિવડાવવામાં આવશે. તેમજ બીજા અને ત્રીજા દિવશે બાકી રહેલા બાળકોને આરોગ્ય કર્મી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કસ, ફીમેલ હેલ્થ વર્કસ, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, આશા બહેન, આશા ફેસીલીટેટર અને આંગણવાડીની બહેનોની ૪૪૮ ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને પોલિયોનાં બે ટીંપા પીવડાવવામાં આવશે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ એક અખાબારી યાદીમાં જણાવાયું છે.
અમદાવાદ સ્થિત ક્યોર સાઇટ લેસર સેન્ટર (CSLC)રિફ્રેક્ટિવ લેસર સર્જરીનાં ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એક માત્ર લેસર આય સેન્ટર છે, જે વિશ્વનાં પાંચ શ્રેષ્ઠ લેસર મશીન ધરાવે છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે.
જાપાનની સેમિકન્ડક્ટર સેક્ટરની કંપનીઝ ગુજરાતમાં આવવા ઉત્સુક. ઓટોમોબાઇલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી-ગ્રીન એમોનિયા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુજરાત સાથે રોકાણો વધારવા અંગે પરામર્શ.