નર્મદા જિલ્લામાં આગામી તા. ૨૩ થી ૨૫ જૂન દરમિયાન પોલિયો ઝુંબેશ યોજાશે
રાજ્ય સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પણ તા. ૨૩ થી ૨૫ જૂન-૨૦૨૪ દરમિયાન પોલિયો ઝુંબેશ યોજાનાર છે.
રાજપીપલા : રાજ્ય સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પણ તા. ૨૩ થી ૨૫ જૂન-૨૦૨૪ દરમિયાન પોલિયો ઝુંબેશ યોજાનાર છે. આ ત્રિ-દિવસીય ઝુંબેશ દરમિયાન નર્મદા જિલ્લાનાં અંદાજિત કુલ ૫૫૯૦૦ જેટલા બાળકોને જિલ્લાનાં આરોગ્ય કર્મીઓ દ્વારા પોલીયોનાં બે ટીપા પિવડાવવામાં આવશે.
પોલિયો ઝુંબેશના પ્રથમ દિવશે ૨૨૪ બુથ પર પોલિયોનાં ટીંપા પિવડાવવામાં આવશે. તેમજ બીજા અને ત્રીજા દિવશે બાકી રહેલા બાળકોને આરોગ્ય કર્મી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કસ, ફીમેલ હેલ્થ વર્કસ, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, આશા બહેન, આશા ફેસીલીટેટર અને આંગણવાડીની બહેનોની ૪૪૮ ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને પોલિયોનાં બે ટીંપા પીવડાવવામાં આવશે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ એક અખાબારી યાદીમાં જણાવાયું છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.