ગુજરાત હાઈકોર્ટમાંથી રાહુલ ગાંધીને કોઈ રાહત નહીં
ગુજરાત હાઈકોર્ટે મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. 2019ના કેસમાં સજા પર રોક લગાવવાની તેમની અરજી પર કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. વેકેશન બાદ જસ્ટિસ હેમંત પ્રાચાક ચુકાદો સંભળાવશે
રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં દલીલ કરી હતી કે જે કથિત અપરાધ માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને બે વર્ષની જેલની સજા કરવામાં આવી છે તે ન તો ગંભીર છે અને ન તો આમાં નૈતિક ગેરવર્તણૂકનો સમાવેશ થાય છે.ગુજરાત હાઈકોર્ટે મંગળવારે મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. 2019ના કેસમાં સજા પર રોક લગાવવાની તેમની અરજી પર કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. વેકેશન બાદ જસ્ટિસ હેમંત પ્રાચાક ચુકાદો સંભળાવશે. ત્યાં સુધી કોર્ટે રાહુલ ગાંધીને કોઈ વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો.
રાહુલ ગાંધીએ 'મોદી સરનેમ'ને લગતી તેમની ટિપ્પણીને પગલે અપરાધિક માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર રોક લગાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ નિર્ણય બાદ રાહુલને લોકસભાની સદસ્યતા પણ ગુમાવવી પડી હતી.
અગાઉ, સુરત સેશન્સ કોર્ટના નિર્ણયને પડકારતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં 29 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે રાહુલ ગાંધીનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીને 2 મે સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું હતું. આ પછી, આગામી સુનાવણી 2 મે મંગળવારના રોજ નક્કી કરવામાં આવી હતી. રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં દલીલ કરી હતી કે જે કથિત અપરાધ માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને બે વર્ષની જેલની સજા કરવામાં આવી છે તે ન તો ગંભીર છે અને ન તો આમાં નૈતિક ગેરવર્તણૂકનો સમાવેશ થાય છે.
અગાઉ, સુરતની એક અદાલતે મોદી અટક સંબંધિત તેમની ટિપ્પણીને લગતા ફોજદારી માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. આ પછી રાહુલે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. એક ન્યાયાધીશે આ કેસમાં પોતાને અલગ કર્યા પછી, કેસની સુનાવણી હવે નવા ન્યાયાધીશ દ્વારા કરવામાં આવી રહી છે.
23 માર્ચે સુરતની કોર્ટે 2019માં રાહુલ ગાંધી દ્વારા મોદી અટક અંગે કરેલી ટિપ્પણીના કેસમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેને કલમ 504 હેઠળ બે વર્ષની જેલની સજા ફટકારી છે. જો કે કોર્ટે નિર્ણયને અમલમાં મૂકવા માટે થોડા દિવસનો સમય પણ આપ્યો હતો. આ સાથે તેમને તાત્કાલિક જામીન પણ આપવામાં આવ્યા હતા. રાહુલે સુરત કોર્ટમાં ત્રણ અરજીઓ પણ દાખલ કરી હતી, જેમાંથી એક અરજી કોર્ટે ફગાવી દીધી હતી અને બીજીની સુનાવણી 3 મેના રોજ થવાની છે.
હકીકતમાં, 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'બધા ચોરોની અટક મોદી કેવી રીતે છે?' જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. રાહુલ વિરુદ્ધ IPC કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
સુપ્રિમ કોર્ટના આ નિર્ણય બાદ કોઈપણ કોર્ટમાં નેતાને દોષિત ઠેરવતાની સાથે જ વિધાનસભા-સંસદનો દરજ્જો જતો રહે છે. આ સાથે તે વ્યક્તિ આગામી છ વર્ષ માટે ચૂંટણી લડવા માટે અયોગ્ય બની જાય છે. રાહુલના સાંસદ ગયા છે. જો તેમને કોર્ટમાંથી રાહત નહીં મળે તો રાહુલ 2024 અને 2029ની લોકસભાની ચૂંટણી લડી શકશે નહીં.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.