ઓખા-ગોરખપુર એક્સપ્રેસ પુનઃસ્થાપિતઃ 14 જાન્યુઆરી સુધી ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે
ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનમાં સ્થિત બારાબંકી યાર્ડના રિમોડલિંગના કામને કારણે, ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસ, જે અગાઉ 14 જાન્યુઆરી, 2024 સુધી રદ કરવામાં આવી હતી, તે હવે રદ થવાને બદલે આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. જેની વિગતો આ મુજબ છે.
ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનમાં સ્થિત બારાબંકી યાર્ડના રિમોડલિંગના કામને કારણે, ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસ, જે અગાઉ 14 જાન્યુઆરી, 2024 સુધી રદ કરવામાં આવી હતી, તે હવે રદ થવાને બદલે આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નં. 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ 17.12.2023, 24.12.2023, 31.12.2023, 07.01.2024 અને 14.01.2024 ના રોજ અને ટ્રેન નં. 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ 14.12.2023, 21.12.2023, 28.12.2023, 04.01.2024 અને 11.01.2024 ના રોજ રદ થવાને બદલે, હવે આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ વાયા કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, બનારસ, વારાણસી, વારાણસી સિટી, ભટની અને ગોરખપુર થઈને ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં એશબાગ, બાદશાહ નગર, બારાબંકી, ગોંડા અને બસ્તી સ્ટેશન નો સમાવેશ થાય છે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
નાણામંત્રીએ બિહારને વિશેષ દરજ્જો આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NDC) દ્વારા ભૂતકાળમાં કેટલાક રાજ્યોને આયોજન સહાય માટે વિશેષ શ્રેણીનો દરજ્જો આપવામાં આવ્યો હતો, જેમાં ઘણી વિશેષતાઓ હતી જેને ખાસ ધ્યાનમાં લેવાની જરૂર હતી.
રાજ્યસભામાં સીપીઆઈ(એમ) સાંસદ વી શિવદાસને કહ્યું છે કે તેમને ફોન પર સંસદ અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સાંસદે ઉપરાષ્ટ્રપતિને પત્ર લખીને કાર્યવાહી કરવાની અપીલ કરી છે.
ગુજરાતના એક વરિષ્ઠ IAS અધિકારીની પત્નીએ શનિવારે ઝેર પી લીધું હતું અને તેને બેભાન અવસ્થામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેણીનું રવિવારે સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.