રાજકોટ ડિવિઝનમાં ચાલી રહેલા વિદ્યુતીકરણના કામને કારણે ઓખા-વારાણસી અને ઓખા-ગુવાહાટી ટ્રેનો રીશેડ્યુલ કરવામાં આવી
રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં વિદ્યુતિકરણ કામગીરીના લીધે બે ટ્રેનોને રિશિડ્યુલ કરવામાં આવી છે. વિગતો નીચે મુજબ છે.
રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં વિદ્યુતિકરણ કામગીરી ના લીધે બે ટ્રેનો ને રિશિડ્યુલ કરવામાં આવી છે. વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 22969 ઓખા-વારાણસી એક્સપ્રેસને 04.07.2024 ના રોજ ઓખા થી 1 કલાક 40 મિનિટ મોડી એટલે કે 15.45 કલાકે ઉપડવા માટે રીશેડ્યુલ કરવામાં આવી છે.
ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસને 05.07.2024 ના રોજ ઓખા થી 2 કલાક મોડી એટલે કે 14.15 કલાકે ઉપડવા માટે રીશેડ્યુલ કરવામાં આવી છે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રાની ૧૪૭મી કડી સફળતાથી સાકાર થાય તે માટેના કાર્ય આયોજનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળ થી ઉપડનારી ચાર જોડી સ્પેશ્યલ ટ્રેનોના ફેરાને સમાન સંરચના,સમય, સ્ટોપેજ અને માર્ગ પર લંબાવવામાં આવ્યા છે . આ ટ્રેનોની વિગતો માટે વધુ વાંચો.
રાજ્યમાં 24000 થી વધુ શિક્ષકોની ભરતી થવા જઈ રહી છે. આ માહિતી ગુજરાત સરકારના મંત્રીએ આપી છે.