16 સપ્ટેમ્બરે અમદાવાદ મંડળ ખાતે ઊજવાયો ‘સ્વચ્છતા જાગૃતિ દિવસ’
ભારતીય રેલ પર ‘સ્વચ્છ રેલ-સ્વચ્છ ભારત’ મિશન અંતર્ગત 16 સપ્ટેમ્બરથી 02 ઓક્ટોબર, 2023 સુધી ‘સ્વચ્છતા પખવાડિયા’નું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતીય રેલ પર ‘સ્વચ્છ રેલ-સ્વચ્છ ભારત’ મિશન અંતર્ગત 16 સપ્ટેમ્બરથી 02 ઓક્ટોબર, 2023 સુધી ‘સ્વચ્છતા પખવાડિયા’નું આયોજન કરવામાં આવ્યું છે. મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્માના માર્ગદર્શનમાં આ પખવાડિયાના પહેલા દિવસ 16.09.2023ને ‘સ્વચ્છતા જાગૃતિ દિવસ’ રૂપે ઊજવવામાં આવ્યો. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે આ પખવાડિયાના પહેલા દિવસે મંડળના તમામ સ્ટેશનો, કાર્યાલયો, ડિસ્પેન્સરી, હોસ્પિટલો તથા કોચિંગ ડેપોમાં અધિકારીઓ તથા કર્મચારીઓએ શપથ લીધા. તમામ કર્મચારીઓએ વાર્ષિક 100 કલાક શ્રમદાન કરવાનો સંકલ્પ લીધો.
મંડળના તમામ સ્ટેશનો પર કર્મચારીઓ અને કોન્ટેક્ટ ક્લીનિંગ સ્ટાફને સ્વચ્છતાના શપથ લેવડાવવાની કામગીરી સ્ટેશન માસ્ટરે કરી. શપથ ગ્રહણ સાથે સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત થઇ ગઇ છે, હવે દરરોજ અલગ અલગ થીમ પર ખાસ સાફસફાઇ દ્વારા સ્વચ્છતા પખવાડિયું ઊજવવામાં આવશે. સ્ટેશનો પર ઉદ્ઘોષણા પદ્ધતિ દ્વારા સતત સ્વચ્છતા સંબંધિત ઉદ્ઘોષણા કરવામાં આવે છે, જેથી યાત્રીઓમાં પણ સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ આવે.
અમદાવાદ મંડળના અમદાવાદ (કાળુપુર) રેલવે સ્ટેશને યાત્રીઓ તેમ જ રેલ કર્મચારીઓને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા માટે શેરી નાટકનું આયોજન પણ કરવામાં આવ્યું.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.