રાજપીપળા શહેરમાં આનંદચૌદસના દિવસે ગણેશજીની પ્રતિમાઓનું સરકારી ઓવારે વિસર્જન થયું
રાજપીપળા શહેરમાં બપોર બાદ ગણેશજીની નાની પ્રતિમાઓ વિસર્જન માટે નીકળી ત્યારબાદ સાંજથી મોટી પ્રતિમાઓ નિકળવાની શરૂઆત થઈ જેમાં ગણેશ ભક્તો પોતના કાફલા સાથે કરજણ નદીના ઓવરે પહોંચ્યા હતા.જ્યાં નગરપાલિકાની ફાયર ટીમના કર્મચારીઓએ સલામત રીતે બાપ્પાની પ્રતિમાનું કરજણ નદીમાં વિસર્જન કર્યું હતું.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળા શહેરમાં આનંદચૌદસ ના દિવસે દુંદાળા દેવ નું અશ્રુભીની આંખે વિસર્જન કરવામાં આવ્યું હતું. રાજપીપળા શહેરમાં બપોર બાદ ગણેશજીની નાની પ્રતિમાઓ વિસર્જન માટે નીકળી ત્યારબાદ સાંજથી મોટી પ્રતિમાઓ નિકળવાની શરૂઆત થઈ જેમાં ગણેશ ભક્તો પોતના કાફલા સાથે કરજણ નદીના ઓવરે પહોંચ્યા હતા.જ્યાં નગરપાલિકાની ફાયર ટીમના કર્મચારીઓએ સલામત રીતે બાપ્પાની પ્રતિમાનું કરજણ નદીમાં વિસર્જન કર્યું હતું.જોકે દસ દિવસ આતિથ્ય માણ્યા બાદ શાંતિપૂર્ણ રીતે અનંદચૌદસનો આ અવસર પૂર્ણ થયો પરંતુ વિસર્જન ટાણે બાપાને વિદાઇ કરતી વેળા ભક્તોની આંખો ભીની થઇ હતી ત્યારે આવતા વર્ષે ફરી પધારજોના નાદ સાથે ભક્તોએ બાપાને વિદાઇ આપી હતી.
ટાઉન પી.આઈ.આર.જી.ચૌધરીના જણાવ્યા મુજબ આ વર્ષે રાજપીપળા શહેરમાંથી ૧૦૦ જેવી નાની પ્રતિમા અને ૪૦ જેવી મોટી પ્રતિમાઓનુ કરજણ ઓવારે વિસર્જન થયું હતું જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ઘણી પ્રતિમાં વિસર્જન માટે આવી હતી આ તમામનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ વિસર્જન થયું હતું.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.