રાજપીપળા શહેરમાં આનંદચૌદસના દિવસે ગણેશજીની પ્રતિમાઓનું સરકારી ઓવારે વિસર્જન થયું
રાજપીપળા શહેરમાં બપોર બાદ ગણેશજીની નાની પ્રતિમાઓ વિસર્જન માટે નીકળી ત્યારબાદ સાંજથી મોટી પ્રતિમાઓ નિકળવાની શરૂઆત થઈ જેમાં ગણેશ ભક્તો પોતના કાફલા સાથે કરજણ નદીના ઓવરે પહોંચ્યા હતા.જ્યાં નગરપાલિકાની ફાયર ટીમના કર્મચારીઓએ સલામત રીતે બાપ્પાની પ્રતિમાનું કરજણ નદીમાં વિસર્જન કર્યું હતું.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળા શહેરમાં આનંદચૌદસ ના દિવસે દુંદાળા દેવ નું અશ્રુભીની આંખે વિસર્જન કરવામાં આવ્યું હતું. રાજપીપળા શહેરમાં બપોર બાદ ગણેશજીની નાની પ્રતિમાઓ વિસર્જન માટે નીકળી ત્યારબાદ સાંજથી મોટી પ્રતિમાઓ નિકળવાની શરૂઆત થઈ જેમાં ગણેશ ભક્તો પોતના કાફલા સાથે કરજણ નદીના ઓવરે પહોંચ્યા હતા.જ્યાં નગરપાલિકાની ફાયર ટીમના કર્મચારીઓએ સલામત રીતે બાપ્પાની પ્રતિમાનું કરજણ નદીમાં વિસર્જન કર્યું હતું.જોકે દસ દિવસ આતિથ્ય માણ્યા બાદ શાંતિપૂર્ણ રીતે અનંદચૌદસનો આ અવસર પૂર્ણ થયો પરંતુ વિસર્જન ટાણે બાપાને વિદાઇ કરતી વેળા ભક્તોની આંખો ભીની થઇ હતી ત્યારે આવતા વર્ષે ફરી પધારજોના નાદ સાથે ભક્તોએ બાપાને વિદાઇ આપી હતી.
ટાઉન પી.આઈ.આર.જી.ચૌધરીના જણાવ્યા મુજબ આ વર્ષે રાજપીપળા શહેરમાંથી ૧૦૦ જેવી નાની પ્રતિમા અને ૪૦ જેવી મોટી પ્રતિમાઓનુ કરજણ ઓવારે વિસર્જન થયું હતું જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ઘણી પ્રતિમાં વિસર્જન માટે આવી હતી આ તમામનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ વિસર્જન થયું હતું.
અમદાવાદ સ્થિત ક્યોર સાઇટ લેસર સેન્ટર (CSLC)રિફ્રેક્ટિવ લેસર સર્જરીનાં ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એક માત્ર લેસર આય સેન્ટર છે, જે વિશ્વનાં પાંચ શ્રેષ્ઠ લેસર મશીન ધરાવે છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે.
જાપાનની સેમિકન્ડક્ટર સેક્ટરની કંપનીઝ ગુજરાતમાં આવવા ઉત્સુક. ઓટોમોબાઇલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી-ગ્રીન એમોનિયા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુજરાત સાથે રોકાણો વધારવા અંગે પરામર્શ.