પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે ધારાસભ્ય ડૉ.દેશમુખની ઉપસ્થિતિમાં સિસોદ્રા ગામે રાહત સામગ્રીનું વિતરણ કરાયું
પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે એમના સિદ્ધાંત અનુસાર નાંદોદ વિધાનસભાના સિસોદ્રા ગામે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનાં સહયોગથી પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : પંડિત દિનદયાલ ઉપાધ્યાયજી ની જન્મજયંતિ નિમિત્તે એમના સિદ્ધાંત અનુસાર નાંદોદ વિધાનસભા ના સિસોદ્રા ગામે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નાં સહયોગ થી પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામમાં ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ સહિત નાઓએ પંડિત દિનદયાલ ઉપાધ્યાયજી ની આજરોજ જન્મજયંતિ હોય તે નિમિત્તે રાહત સામગ્રી નું વિતરણ કરવામાં આવ્યું આં વિતરણ કાર્યક્રમ માં ધારાસભ્ય ડો.દેશમુખ સાથે બીજેપી નાં સક્રિય કાર્યકર્તા ડો.રવિભાઈ દેશમુખ, મંડળ પ્રમુખ અરવિંદભાઈ પટેલ,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મેહુલ ભાઈ માછી, તાલુકા પંચાયત પ્રમુખ વનીતાબેન વસાવા, તાલુકા સદસ્ય સરસ્વતીબેન વસાવા, હિમાંશુભાઈ દેસાઈ, દિલીપસિંહ ગોહિલ સાથે અન્ય આગેવાનો અને સાથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રાહત સામગ્રી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નાં સહયોગ થી આપવામાં આવી હતી.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.