એસવીઆઈટી દ્વાર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી(SVIT) દ્વારા તાજેતર મા ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા માન્ય સાર્વત્રિક માનવ મૂલ્ય પર ત્રણ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી(SVIT) દ્વારા તાજેતર મા ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા માન્ય સાર્વત્રિક માનવ મૂલ્ય પર ત્રણ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં વિવિધ સમગ્ર ગુજરાત ની ઇજનેરી શાખાના 60 થી વધુ ફેકલ્ટીઓએ સક્રિયપણે ભાગ લીધો છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) એ શ્રી આલોક કુમાર પાંડેને સંસાધન વ્યક્તિ તરીકે, શ્રી મણિલાલ અમીપરાને સહ-સુવિધાકાર તરીકે અને શ્રી હાર્દિક રાઠોડને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા.
આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં શ્રી આલોક કુમાર પાંડેએ વિવિધ વિષયો જેવા કે સર્વગ્રાહી વિકાસ-શિક્ષણની ભૂમિકા, સુખ-સમૃદ્ધિ અને મનુષ્યમાં સંવાદિતાની શોધખોળ જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરી છે.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષશ્રી રોનકભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિકભાઈ પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સતિષભાઈ પટેલ, શ્રી સંજયભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ. ડી. પી. સોની અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી સમાજ ઉપયોગી સુંદર કાર્યક્રમ માટે અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્યના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાના ઈનામ વિતરણ સમારોહમાં આયોજક અને વિજેતાઓને અભિનંદન પાઠવી સંસ્કાર સિંચનના કાર્યમાં યુવાઓની ભાગીદારી ખૂબ જરૂરી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
જાન્યુઆરીમાં, સુપ્રીમ કોર્ટે આસારામને રાહત આપી હતી અને તેમને 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. તેમના વચગાળાના જામીનનો સમયગાળો પૂરો થવાનો હતો.
રાજ્યની જરૂરિયાતમંદ બહેનોને વિવિધ યોજના દ્વારા વધુને વધુ આર્થિક પગભર બનાવવા સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય’ યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે ૧૬.૪૯ લાખથી વધુ બહેનોને રૂ. ૨,૧૬૪ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે