એસવીઆઈટી દ્વાર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી(SVIT) દ્વારા તાજેતર મા ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા માન્ય સાર્વત્રિક માનવ મૂલ્ય પર ત્રણ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી(SVIT) દ્વારા તાજેતર મા ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા માન્ય સાર્વત્રિક માનવ મૂલ્ય પર ત્રણ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં વિવિધ સમગ્ર ગુજરાત ની ઇજનેરી શાખાના 60 થી વધુ ફેકલ્ટીઓએ સક્રિયપણે ભાગ લીધો છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) એ શ્રી આલોક કુમાર પાંડેને સંસાધન વ્યક્તિ તરીકે, શ્રી મણિલાલ અમીપરાને સહ-સુવિધાકાર તરીકે અને શ્રી હાર્દિક રાઠોડને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા.
આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં શ્રી આલોક કુમાર પાંડેએ વિવિધ વિષયો જેવા કે સર્વગ્રાહી વિકાસ-શિક્ષણની ભૂમિકા, સુખ-સમૃદ્ધિ અને મનુષ્યમાં સંવાદિતાની શોધખોળ જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરી છે.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષશ્રી રોનકભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિકભાઈ પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સતિષભાઈ પટેલ, શ્રી સંજયભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ. ડી. પી. સોની અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી સમાજ ઉપયોગી સુંદર કાર્યક્રમ માટે અભિનંદન પાઠવ્યા હતા.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી