અમદાવાદ મંડળ પર "ફિટ ઈન્ડિયા સ્વચ્છતા સ્વતંત્રતા દોડ" નું આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર સ્વચ્છતા પખવાડિયા 3.0 તેમજ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી "ફિટ ઈન્ડિયા સ્વચ્છતા સ્વતંત્રતા દોડ" નું આયોજન આજે તારીખ 14 ઓક્ટોબર 2023 ના સવારે 7.00 વાગ્યે રેલવે અધિકારી, રેલવે કર્મચારી અને તેમના પરિવારજનોના માટે રેલવે ઈન્સ્ટીટ્યુટ સાબરમતી થી ક્રિકેટ મેદાન (ADSA) સાબરમતી સુધી કરવામાં આવ્યું. ક્રિકેટ મેદાન સાબરમતીમાં વિવિધ પ્રકારની ગેમ્સ આયોજિત કરવામાં આવી.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર સ્વચ્છતા પખવાડિયા 3.0 તેમજ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી "ફિટ ઈન્ડિયા સ્વચ્છતા સ્વતંત્રતા દોડ" નું આયોજન આજે તારીખ 14 ઓક્ટોબર 2023 ના સવારે 7.00 વાગ્યે રેલવે અધિકારી, રેલવે કર્મચારી અને તેમના પરિવારજનોના માટે રેલવે ઈન્સ્ટીટ્યુટ સાબરમતી થી ક્રિકેટ મેદાન (ADSA) સાબરમતી સુધી કરવામાં આવ્યું. ક્રિકેટ મેદાન સાબરમતીમાં વિવિધ પ્રકારની ગેમ્સ આયોજિત કરવામાં આવી.
મંડળ રેલવે પ્રબંધક અમદાવાદ શ્રી સુધીર કુમાર શર્માના નિર્દેશનમાં આયોજિત " ફિટ ઈન્ડિયા સ્વચ્છતા સ્વતંત્રતા દોડ" જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ, સ્કાઉટ અને ગાઈડ તથા પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના સભ્યોએ ભાગ લીધો. આ અવસરે રેલવે ઈન્સ્ટીટ્યુટ થી ક્રિકેટ મેદાન સાબરમતી સુધી સ્વચ્છતા જાગૃતિ રેલી કાઢવામાં આવી તથા મેદાનમાં વિવિધ પ્રકારની ગેમ્સ જેમ કે ટીમ દ્વારા ફુગ્ગાઓને અડ્યા વગર સીમા સુધી લઈ જવા, માથા પર પકડ્યા વગર ગ્લાસ સીમા સુધી લઈ જવા, દોરડાખેંચ વગેરે.
શ્રી શર્માએ કહ્યું કે આનો હેતુ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા અને રોજીંદા જીવનમાં દોડ, રમત જેવી ફિટનેસ પ્રવૃત્તિઓ પ્રત્યે પ્રોત્સાહિત કરીને તેમને આળસ, તણાવ, ચિંતા, રોગથી આઝાદી અપાવવાનો છે. જેનાથી તેઓ સ્વસ્થ અને ફિટ જીવન શૈલી અપનાવવા માટે પ્રેરિત થઈ શકે. આ અવસર પર ડીઆરએમ શ્રી શર્મા દ્વારા વિજેતા ટીમના લોકોને ઈનામ પણ આપવામાં આવ્યા.
રાજ્યના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાના ઈનામ વિતરણ સમારોહમાં આયોજક અને વિજેતાઓને અભિનંદન પાઠવી સંસ્કાર સિંચનના કાર્યમાં યુવાઓની ભાગીદારી ખૂબ જરૂરી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
જાન્યુઆરીમાં, સુપ્રીમ કોર્ટે આસારામને રાહત આપી હતી અને તેમને 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. તેમના વચગાળાના જામીનનો સમયગાળો પૂરો થવાનો હતો.
રાજ્યની જરૂરિયાતમંદ બહેનોને વિવિધ યોજના દ્વારા વધુને વધુ આર્થિક પગભર બનાવવા સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય’ યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે ૧૬.૪૯ લાખથી વધુ બહેનોને રૂ. ૨,૧૬૪ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે