માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત રાજ્યના 35000થી વધુ પુલોની સર્વેક્ષણ કામગીરી હાથ ધરાઈ
ચકાસણીમાં જોખમી જણાયેલ પૈકી ૧૨૧ની મરામત કામગીરી પૂર્ણ, જ્યારે ૧૧૬ પુલોનુ મજ્બુતીકરણ કરાશે
પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મોરબી પુલ હોનારત બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર રાજ્યના ૩૫, ૭૩૧ પુલોની સમીક્ષા કામગીરી હાથ ધરવામાં આવી છે. સર્વેમાં મરમતની જરૂર હોય તેવા ૧૨૧ પુલોની મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, સરવેમાં જે ૧૨ પુલો ભયજનક જણાયા હતા, ત્યાં ટ્રાફિકની અવરજવર બંધ કરી ટ્રાફિકને ડાયવર્ઝન અપાયું છે. જ્યારે અન્ય ૧૨ પુલોનું તાત્કાલિક રિપેરીંગ કરી ટ્રાફિક ચાલુ રખાયો છે. આ તમામ ૨૪ પુલોના પુનઃબાંધકામ માટે રૂ. ૧૪૫.૬૪ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
તેમજ ૧૧૬ પુલોનું રૂ. ૧૫૧.૪૧ કરોડનો ખર્ચ મંજૂર કરી મજબૂતીકરણ કરવા માટે મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, પુલોના પુન:બાંધકામ તથા મજબુતીકરણ માતે રૂ. ૨૯૭ કરોડ ફાળવવામાં આવેલ છે.
અમદાવાદ સ્થિત ક્યોર સાઇટ લેસર સેન્ટર (CSLC)રિફ્રેક્ટિવ લેસર સર્જરીનાં ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એક માત્ર લેસર આય સેન્ટર છે, જે વિશ્વનાં પાંચ શ્રેષ્ઠ લેસર મશીન ધરાવે છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે.
જાપાનની સેમિકન્ડક્ટર સેક્ટરની કંપનીઝ ગુજરાતમાં આવવા ઉત્સુક. ઓટોમોબાઇલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી-ગ્રીન એમોનિયા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુજરાત સાથે રોકાણો વધારવા અંગે પરામર્શ.