PM મોદી મહારાષ્ટ્રને ઘણી મોટી ભેટ આપશે, અટલ સેતુનું કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રને વિકાસની ઘણી મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. પીએમ મોદી 12 જાન્યુઆરીએ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. અહીં રૂ. 30,500 કરોડની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. અહીં પીએમ મોદી 30,500 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક રોડ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. MTHLનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી રાખવામાં આવ્યું છે. દેશનો આ સૌથી મોટો દરિયાઈ પુલ અટલ સેતુ તરીકે ઓળખાશે. અટલ સેતુ મુંબઈ અને નવી મુંબઈને જોડતો દેશનો સૌથી મોટો પુલ છે.
અટલ સેતુની લંબાઈ 21.8 કિલોમીટર છે. આ બ્રિજ પર કુલ 6 લેન છે. અટલ સેતુના નિર્માણમાં લગભગ 17,840 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે વર્ષ 2016માં ખુદ વડાપ્રધાને આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને આજે 7 વર્ષ બાદ અટલ સેતુ સંપૂર્ણ રીતે તૈયાર છે. આ પ્રોજેક્ટનું નિર્માણ ફરી એકવાર સાબિત કરે છે કે જે કામ માટે મોદી શિલાન્યાસ કરે છે, તે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ તેઓ જ કરે છે. અટલ સેતુ મુંબઈના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં મિલનો પથ્થર સાબિત થશે. આ બ્રિજને કારણે મુંબઈ અને નવી મુંબઈની કનેક્ટિવિટી સુધરશે.
અટલ સેતુના કારણે માત્ર ઈંધણની બચત થશે જ, પરંતુ ટ્રાફિકમાં વેડફાતા સમયની પણ બચત થશે. એટલું જ નહીં પરંતુ મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારતની મુસાફરીમાં લાગતો સમય પણ બચશે. આ બ્રિજને કારણે મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ વચ્ચેની કનેક્ટિવિટી પણ સુધરશે. અટલ સેતુ રાષ્ટ્રને સમર્પિત કર્યા પછી, વડા પ્રધાન મોદી મુંબઈથી નવી મુંબઈ પહોંચવા માટે આ પુલ પર મુસાફરી કરશે.
IIT JAM 2025 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ઉમેદવારો સમાચારમાં નીચે આપેલ સીધી લિંક દ્વારા તેમના પરિણામો ચકાસી શકે છે.
બજેટ સત્ર દરમિયાન ઓડિશાના ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતના નિવેદન પર વિવાદ થયો હતો. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને છત્રપતિ શિવાજી મહારાજનો પુનર્જન્મ ગણાવ્યા, જેના પછી ગૃહમાં ભારે હોબાળો થયો. આ નિવેદન પર કોંગ્રેસે તેમને ઘેર્યા અને દેશની માફી માંગવા કહ્યું.
રાજ્યસભામાં રેલવે વિશે ઘણી માહિતી આપતી વખતે, અશ્વિની વૈષ્ણવે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. રેલ્વે મંત્રીએ કહ્યું કે વિપક્ષી નેતાઓએ રેલ્વે અંગે ભ્રામક નિવેદનો ન આપવા જોઈએ.