પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીએ 28મી ફેબ્રુઆરી, 2024ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી
આ ઉજવણીનો વિષય “વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી” હતી. કાર્યક્રમમાં અમદાવાદ, ગાંધીનગર અને દહેગામમાંથી ધોરણ 9 અને 11ના વિવિધ 5 શાળાના 175 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીએ 28મી ફેબ્રુઆરી, 2024ના રોજ "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ"ની ઉજવણી કરી હતી. રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને ગણિત વિભાગે સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ઉજવણીનો વિષય “વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી” હતી.
આ કાર્યક્રમમાં અમદાવાદ, ગાંધીનગર અને દહેગામમાંથી ધોરણ 9 અને 11ના વિવિધ 5 શાળાના 175 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને હાજરી આપી હતી. ઉજવણીની શરૂઆત ઉદઘાટન સમારોહથી થઈ હતી.
જેમાં વક્તાઓએ વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે તેમના વિચારોની ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, વિદ્યાર્થીઓએ “વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી” વિષય પર પોસ્ટર બનાવવાના કાર્યક્રમમાં પણ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓના જૂથને વિવિધ કેટેગરીમાં પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. બધા વિદ્યાર્થીઓએ સોલાર ફોટોવોલ્ટેઇક પેનલ એસેમ્બલી લાઇન (SOPAL) ની પણ મુલાકાત લીધી અને PDEU માં સૌર પેનલ્સ કેવી રીતે બનાવવામાં આવે છે તેનું સમજણ પૂર્વક અભ્યાસ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન તમામ વિદ્યાર્થીઓને બાયો-ડીઝલનું પ્રયોગ તથા સમજણ પણ આપવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રાની ૧૪૭મી કડી સફળતાથી સાકાર થાય તે માટેના કાર્ય આયોજનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી.
રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં વિદ્યુતિકરણ કામગીરીના લીધે બે ટ્રેનોને રિશિડ્યુલ કરવામાં આવી છે. વિગતો નીચે મુજબ છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળ થી ઉપડનારી ચાર જોડી સ્પેશ્યલ ટ્રેનોના ફેરાને સમાન સંરચના,સમય, સ્ટોપેજ અને માર્ગ પર લંબાવવામાં આવ્યા છે . આ ટ્રેનોની વિગતો માટે વધુ વાંચો.